ભારત સહિત વૈશ્વિક મહામારી કોરોના વાયરસને દૂર કરવા રસીકરણ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. નોર્વેમાં નવા વર્ષના ચાર દિવસ અગાઉ ફાઈઝરની કોરોના વાયરસ રસી રજૂ કરવામાં આવી હતી. નોર્વેમાં રસીકરણ બાદ અત્યાર સુધીમાં 29 લોકોનાં મોત નીપજ્યાં છે અને 75 લોકોની હાલત ગંભીર છે.
ગયા વર્ષે 27 ડિસેમ્બરે કોવિડ રસીકરણ અભિયાન શરૂ થયું ત્યારથી દેશમાં 25,000 થી વધુ લોકોને રસી આપવામાં આવી છે. નોર્વેમાં મૃત્યુ પામતાં લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો, જેના પછી તેમની તબિયત લથડી. સરકાર કહે છે કે જે લોકો બીમાર અને વૃદ્ધ છે તેમના માટે રસીકરણ એકદમ જોખમી હોઈ શકે છે. મૃત્યુ પામેલા 29 લોકોમાંથી 13 લોકો રસીથી મરી ગયાની પુષ્ટિ કરવામાં આવી છે, જ્યારે અન્ય લોકોના મોત અંગે તપાસ ચાલુ છે.
મૃત્યુ પામનારની ઉમર 80 થી વધુ
નોર્વેઇન મેડિસિન એજન્સીએ જણાવ્યું હતું કે મૃત્યુ પામેલા લોકોમાં નબળા, વૃદ્ધ લોકો હતા જે નર્સિંગ હોમ્સમાં રહેતા હતા. મૃત્યુ પામનારાઓમાં, બધાની ઉમર 80 વર્ષથી ઉપરની હતી. તે જ સમયે, શનિવારે છ લોકોનું મોત લગભગ 75 વર્ષની ઉમરે થયું છે. એવું લાગે છે કે આ દર્દીઓ રસીકરણ પછી તાવ અને બેચેનીની આડઅસરથી પીડાય છે, જે ગંભીર રીતે બીમાર છે. આ કારણે તેનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ, આ સવાલ પણ ઉભો થઈ રહ્યો છે કે રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમમાં કયા જૂથોને રસી આપવામાં આવે છે.
શું થયું અત્યાર સુધી
નોર્વેજીયન મેડિસિન એજન્સી (એનએમએ) અનુસાર, ફાઈઝર અને બાયોએનટેક દ્વારા બનાવવામાં આવેલી કોવિડ -19 રસી નોર્વેમાં એક માત્ર રસી ઉપલબ્ધ છે અને તમામ મૃત્યુ તેની સાથે સંકળાયેલા હોવાનું જોવા મળે છે.
નોર્વિન મેડિસિન એજન્સી અનુસાર, અત્યાર સુધીમાં 13 ની જાણ કરવામાં આવી છે, જે સૂચવે છે કે સામાન્ય આડઅસરથી માંદા, વૃદ્ધ લોકોમાં તીવ્ર પ્રતિક્રિયાઓ થાય છે. તે જ સમયે, 16 લોકોની તપાસના પરિણામોની રાહ જોવાઇ રહી છે.
મોટાભાગના લોકોમાં જોવા મળતી આડઅસર ઉબકા, ઉલટી અને તાવ વગેરે છે, જેના કારણે તેમની સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે.
ફાઈઝરની રસી પર સવાલ ઉઠાવ્યા પછી, કંપનીએ કહ્યું કે તે બાયોનોટેક અને એનઆઈપીએચથી મૃત્યુની તપાસ કરી રહી છે. નોર્વેએ હજી સુધી નાના બાળકો અને સ્વસ્થ લોકો માટે રસી લેવાનું ટાળવાનું કહ્યું નથી.
વૃદ્ધોને રસીનો લાભ મળશે નહીં
નોર્વેઈન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ કહે છે કે જેઓ ખૂબ જ વૃદ્ધ છે અને તેઓને લાગે છે કે તેમના જીવનમાં હજુ થોડો સમય બાકી છે, તો પછી આવા લોકોને રસીનો ફાયદો મળે અને મળે તો પણ બહુ જુજ સમય માટે મળી શકે છે. અથવા ના પણ મળી શકે
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
