diwali/ પાકિસ્તાનમાં કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરતા ધામધૂમથી મનાવાઇ દિવાળી

પાકિસ્તાનનાં કરાચી શહેરમાં હિન્દુ સમુદાયે કોરોનો વાયરસનાં ફેલાવાને રોકવા માટે જારી કરેલા પ્રોટોકોલનું પાલન કરીને દિવાળીની ઉજવણી કરી હતી. પાકિસ્તાનમાં રહેતા એક હિન્દુએ કહ્યું, “દિવાળીનો તહેવાર દીવડાઓ, લાઇટ અને ફટાકડાથી ઉજવવામાં આવે છે. બાળકો, યુવાનો અને વૃદ્ધ લોકો બધા જ આજે દિવાળીની ઉજવણી કરે છે.” તેમણે ઉમેર્યું, “અમે પણ આ તહેવારની ઉજવણી કરવા અને પેઇન્ટિંગ્સ […]

Top Stories World

પાકિસ્તાનનાં કરાચી શહેરમાં હિન્દુ સમુદાયે કોરોનો વાયરસનાં ફેલાવાને રોકવા માટે જારી કરેલા પ્રોટોકોલનું પાલન કરીને દિવાળીની ઉજવણી કરી હતી. પાકિસ્તાનમાં રહેતા એક હિન્દુએ કહ્યું, “દિવાળીનો તહેવાર દીવડાઓ, લાઇટ અને ફટાકડાથી ઉજવવામાં આવે છે. બાળકો, યુવાનો અને વૃદ્ધ લોકો બધા જ આજે દિવાળીની ઉજવણી કરે છે.”

તેમણે ઉમેર્યું, “અમે પણ આ તહેવારની ઉજવણી કરવા અને પેઇન્ટિંગ્સ અને કળા દ્વારા આનંદ માણવા આવ્યા છીએ. તેથી હું માનું છું કે આપણા તહેવારોને લોહીથી રમવાને બદલે રંગોથી ઉજવવું વધુ સારું છે.” આ પ્રસંગે કરાચીનું સ્વામી નારાયણ મંદિર પણ શણગારવામાં આવ્યુ હતુ. હિન્દુ ગૃહિણી ગીતા કુમારીએ કહ્યું, “અમે કોરોના અંગે જારી કરેલી ગાઇડલાઇનનું પાલન કરીને દિવાળીની ઉજવણી કરીએ છીએ. આ ઉજવણી દરમિયાન અમે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છીએ કે આ રોગચાળાનો વહેલી તકે અંત આવે.”

આ અગાઉ, પાકિસ્તાનનાં વડા પ્રધાન ઇમરાન ખાને શનિવારે દિવાળી નિમિત્તે દેશનાં હિન્દુ નાગરિકોને શુભેચ્છા આપી હતી. તેમણે ટ્વિટર પર ઉર્દૂમાં લખ્યું છે, “આપણા બધા હિન્દુ નાગરિકોને દિવાળીની શુભકામના.” હિન્દુ વસ્તીની દ્રષ્ટિએ પાકિસ્તાન વિશ્વનો પાંચમો સૌથી મોટો દેશ છે. ઇસ્લામિક દેશમાં હાલમાં 80 લાખથી વધુ હિન્દુઓ વસવાટ કરે છે. નોંધપાત્ર રીતે, ઘણા મીડિયા અહેવાલો અનુસાર, પાકિસ્તાનનાં કેટલાક વિસ્તારોમાં હિન્દુ, બૌદ્ધ અને શીખ આસ્થાનાં લોકો સામે હિંસા વધી છે અને બળજબરીથી ધર્મ પરિવર્તનનાં ઘણા કિસ્સા બન્યા છે.