મમતા બેનર્જી પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પૂર્વે કેન્દ્ર વિરુદ્ધ રાજ્યનાં યુદ્ધ માટેની નવું જ રાજકીય પત્તુ ખેલવાની તૈયારી કરી રહ્યા હોવાનું જણાય છે. આ લડતમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના વડા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન, તેમ જ રાજકીય દેવપેચમાં મહારથી ગણાતા શરદ પવારનો પણ ટેકો મળ્યો છે. પવાર ઉપરાંત અરવિંદ કેજરીવાલ, એમ કે સ્ટાલિન જેવા નેતાઓ પણ મમતાને ટેકો આપતા નજરે પડે છે.
Politics / દાવ યુપીમાં અને દ્રષ્ટી બંગાળમાં…!! મતબેંકનાં રાજકારણમાં કોઈ પક્ષ બાકાત નથી જ
એનસીપીએ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની આગેવાનીવાળી તૃણમૂલ કોંગ્રેસ સરકાર વિરુદ્ધ કેન્દ્રની સત્તાઓનો દુરઉપયોગ કરવાનો ભાજપ પર સીધો જ આરોપ લગાવ્યો છે. પક્ષે કહ્યું કે, રાજ્યમાંથી ભારતીય પોલીસ સેવા (આઈપીએસ) અધિકારીઓની બદલી એ ખૂબ જ ગંભીર બાબત છે. એનસીપીના રાષ્ટ્રીય પ્રવક્તા નવાબ મલિકે કહ્યું કે, તેમની પાર્ટીના પ્રમુખ શરદ પવાર અન્ય રાજકીય પક્ષોના નેતાઓ સાથે આ મુદ્દો ઉઠાવશે.
BJP is misusing powers of Centre to destabilise West Bengal govt. Law & Order is a state subject. Without any consent, IPS officer has been withdrawn from the state. This is very serious matter. Mamata Banerjee & Sharad Pawar have discussed this matter: Nawab Malik, NCP (21.12) pic.twitter.com/5pqiUMKuUx
— ANI (@ANI) December 22, 2020
નવાબ મલિકે વધુમાં કહ્યું કે, ભાજપ પશ્ચિમ બંગાળ સરકારને અસ્થિર કરવા માટે કેન્દ્ર તેની કેન્દ્રીય સત્તાનો દુરુપયોગ કરી રહ્યું છે. કાયદો અને વ્યવસ્થા એ રાજ્યનો વિષય છે. સંમતિ વિના આઇપીએસ અધિકારીઓને રાજ્યમાંથી પરત ખેંચી લેવામાં આવ્યા છે અને આવી રહ્યા છે. આ ખૂબ જ ગંભીર બાબત છે. મમતા બેનર્જી અને શરદ પવારે આ મામલે ચર્ચા કરી રહ્યા છે. “
Election / કેરળની સ્થાનિક ચૂંટણીઓમાં ડાબેરીઓનો દબદબો…

તેમણે કહ્યું કે શરદ પવાર અન્ય રાજકીય પક્ષોના નેતાઓ સાથે પણ આ મુદ્દે ચર્ચા કરશે. આ બેઠક દિલ્હીમાં ક્યાંક યોજાશે. જો જરૂરી હોય તો પવાર ચોક્કસ પણે પશ્ચિમ બંગાળની મુલાકાતે પણ જશે.
આપને જણાવી દઈએ કે, 17 ડિસેમ્બરે કેન્દ્ર સરકારે બંગાળના ત્રણ આઈપીએસ અધિકારીઓને રાજ્ય સરકારના વાંધાઓને નકારી કાઢતાં તાત્કાલિક અસરથી કેન્દ્રીય પ્રતિનિધિ માટે અહેવાલ આપતા કહ્યું હતું. આ મહિનાની શરૂઆતમાં કોલકાતામાં ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાના કાફલા પર હુમલો થયાના એક દિવસ પછી, તેમને કેન્દ્રીય પ્રતિનિયુક્તિ માટે જાણ કરવા કહેવામાં આવ્યું હતું.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
