- દિલ્હીમાં વીર સપૂતની અંતિમ વિદાય
- બ્રિગેડિયર LS લિટ્ટરને અંતિમ વિદાય
- સૈન્ય સન્માન કરાશે અંતિમ સંસ્કાર
CDS બિપિન રાવત સહિત તમિલનાડુ હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવનારા તમામ 13 લોકોને આજે એટલેકે શુક્રવારે અંતિમ વિદાય આપવામાં આવશે. આ તમામને સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. શુક્રવારે સવારે 11 થી 12.30 સુધી સામાન્ય નાગરિકો રાવત દંપતિને શ્રદ્ધાંજલિ આપી શકશે. આ પછી બપોરે 12:30 થી 1:30 સુધી સૈન્ય અધિકારીઓ શ્રદ્ધાંજલિ આપવા આવશે. ત્યારબાદ બપોરે 2 વાગ્યે તેમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે દિલ્હી કેન્ટ બ્રાર ચોક ખાતે લઈ જવામાં આવશે.
Delhi | Outside visuals from Base Hospital.
The last rites of CDS General Bipin Rawat along with 11 other military personnel who passed away in an IAF chopper crash near Coonoor in Tamil Nadu on Wednesday, will be performed with full military honours today. pic.twitter.com/Pect9IDRMc
— ANI (@ANI) December 10, 2021
આ પણ વાંચો – નિયુક્તિ / કોણ બની શકે છે દેશનાં નવા CDS? આ નામ છે મોખરે
આપને જણાવી દઇએ કે, ભારતનાં પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત, જેમણે એક અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે, તેમના અંતિમ સંસ્કાર શુક્રવારે એટલે કે આજે કરવામાં આવશે. દિલ્હીમાં બુધવારે તમિલનાડુમાં કુન્નુર નજીક લશ્કરી હેલિકોપ્ટર દુર્ઘટનામાં તેમના પત્ની અને અન્ય 11 સશસ્ત્ર દળોનાં જવાનો સાથે શહીદ થયેલા ઉત્કૃષ્ટ કમાન્ડરને લોકો આજે શ્રદ્ધાંજલિ આપી શકશે. સમાચાર એજન્સી પીટીઆઈ દ્વારા શેર કરાયેલા દિવસની યોજના અનુસાર, જનરલ રાવત અને તેમના પત્ની મધુલિકાનાં મૃતદેહને તેમના કામરાજ માર્ગ સ્થિત આવાસ પર સવારે 11 વાગ્યાથી બપોરે 12:30 વાગ્યા સુધી રાખવામાં આવશે જેથી સામાન્ય લોકો તેમના અંતિમ દર્શન કરી શકે. બહાદુર જનરલ અને તેમના પત્નીને સન્માન આપવા માટે લશ્કરી જવાનો માટે બપોરે 12:30 થી 1:30 વાગ્યા સુધીનો સમય રાખવામાં આવશે. જનરલ રાવતની તેમના નિવાસસ્થાનથી બરાર સ્ક્વેર સ્મશાનગૃહ સુધીની અંતિમ યાત્રા બપોરે 2 વાગ્યાની આસપાસ શરૂ થવાની છે. ન્યૂઝ એજન્સીનાં જણાવ્યા અનુસાર, દિવંગત CDS રાવતનાં અંતિમ સંસ્કાર સાંજે 4 વાગ્યે નિર્ધારિત છે.
India will never forget their rich contribution, says PM Modi after paying last respects to CDS Rawat, 12 others killed in TN chopper crash
Read @ANI Storyb | https://t.co/RF9NVIxM9w#CDSGeneralBipinRawat #HelicopterCrash pic.twitter.com/YQvC11JM04
— ANI Digital (@ani_digital) December 9, 2021
આ પણ વાંચો – Bipin Rawat Death / CDS રાવત અને તેમની પત્નીના શુક્રવારે અંતિમ સંસ્કાર કરવામાં આવશે, કાલે મૃતદેહ દિલ્હી લાવવામાં આવશે
ઉલ્લેખનીય છે કે, ગુરુવારે પાલમ એરપોર્ટ પર સશસ્ત્ર દળોનાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપનારાઓમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ સામેલ હતા. ભારતીય સેના પ્રમુખ જનરલ એમએમ નરવણે, ભારતીય નૌકાદળનાં વડા એડમિરલ આર હરિ કુમાર, એર ચીફ માર્શલ એવીઆર ચૌધરી અને સંરક્ષણ સચિવ અજય કુમાર સહિત દેશનાં ટોચનાં સૈન્ય અધિકારીઓએ પણ શોક સમારંભમાં અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી.
