પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે કેબિનેટમાં મોટો ફેરફાર કર્યો છે. તેમણે ભાજપમાંથી ટીએમસીમાં આવેલા બાબુલ સુપ્રિયોને મંત્રી બનાવ્યા છે. આ સિવાય વધુ આઠ નેતાઓએ મંત્રી તરીકે શપથ લીધા છે. સ્નેહાસિસ ચક્રવર્તી, પાર્થ ભૌમિક, ઉદયન ગુહા, પ્રદીપ મજુમદાર, તજમુલ હુસૈન અને સત્યજીત બર્મને કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. બિરબાહા હંસદા અને બિપ્લબ રોય ચૌધરીએ સ્વતંત્ર હવાલો સાથે મંત્રી તરીકે શપથ લીધા.
કેબિનેટમાં આ ફેરબદલ એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે TMC શાળા નોકરી કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા વરિષ્ઠ મંત્રી પાર્થ ચેટરજીની ધરપકડને લઈને વિપક્ષના આક્રમણ હેઠળ છે. પાર્થ ચેટરજીની ધરપકડ બાદ તેમને મંત્રી પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. પાર્થ ચેટર્જી ઉદ્યોગ, વાણિજ્ય, ઉપક્રમ અને સંસદીય બાબતો સહિત પાંચ મહત્વપૂર્ણ વિભાગોનો હવાલો સંભાળતા હતા.
West Bengal | Nine ministers are to be sworn into West Bengal cabinet after the reshuffle. Babul Supriyo, Partha Bhowmick, Snehasis Chakraborty, and others to be inducted into the state cabinet
— ANI (@ANI) August 3, 2022
TMC પ્રમુખ મમતા બેનર્જીએ સોમવારે તેમની પાર્ટીના સંગઠનમાં મોટો ફેરફાર કર્યો અને જાહેરાત કરી કે બુધવારે કેબિનેટમાં ફેરબદલ થશે. ત્યારે તેમણે કહ્યું હતું કે નવા કેબિનેટમાં ચાર-પાંચ નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવશે અને તેટલા જ વર્તમાન મંત્રીઓને પાર્ટીના કામમાં લગાવવામાં આવશે. કેટલાક મંત્રીઓના પોર્ટફોલિયોમાં પણ ફેરફાર થઈ શકે છે.
આ પણ વાંચો:ઘઉં પછી સર્જાઈ શકે છે ચોખાનું સંકટ, વરસાદના અભાવે ડાંગરની વાવણી ઘટી!
