વેલિંગ્ટનમાં છેલ્લી ટી-20 માં ન્યૂઝીલેન્ડે ઓસ્ટ્રેલિયાને 7 વિકેટે હરાવ્યું હતું. વિજય સાથે, ન્યૂઝીલેન્ડની ટીમ શ્રેણી 3-2થી જીતવામાં સફળ રહી હતી. અંતિમ ટી-20 માં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરી હતી અને 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 142 રન બનાવ્યા હતા, જેના જવાબમાં કિવિ ટીમે 16 મી ઓવરમાં 3 વિકેટ ગુમાવી લક્ષ્ય હાંસલ કર્યું હતું. ન્યૂઝીલેન્ડ માટે માર્ટિન ગુપ્ટિલે 46 બોલમાં 71 રન બનાવ્યા, જેમાં 7 ચોક્કા અને 4 છક્કા શામેલ છે.
Cricket / ટીમ ઈન્ડિયાની બલ્લે બલ્લે, ઈંગ્લેન્ડને હરાવી WTC ફાઈનલમાં કર્યો પ્રવેશ
ઓસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન એરોન ફિંચ (36) અને મેથ્યુ વેડ (44) રન બનાવ્યા હતા, પરંતુ આ બે બેટ્સમેનો સિવાય અન્ય બેટિંગ કરી શકે તેવું કંઈ ખાસ કરી શક્યું નહીં. જોકે સ્ટોઇનિસે 26 રન બનાવ્યા હતા, પરંતુ તે ટીમનાં સ્કોરને મોટા સ્કોરમાં પરિવર્તિત કરી શક્યો ન હતો. ન્યૂઝીલેન્ડ તરફથી ઇશ સોઢીએ 3 વિકેટ ઝડપી હતી.
Cricket / ઈંગ્લેન્ડ ટીમે એકવાર ફરી ત્રીજી ટેસ્ટની અપાવી યાદ, તો શું ટીમ ઈન્ડિયા આજે કરશે પુનરાવર્તન?
માર્ટિન ગુપ્ટિલે રોહિત શર્માને પાછળ છોડ્યો
માર્ટિન ગુપ્ટિલે ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં રોહિત શર્માને પાછળ છોડી દીધો છે. ટી-20 આંતરરાષ્ટ્રીયમાં માર્ટિન ગુપ્ટિલે હવે 99 મેચોમાં બે સદી અને 17 અડધી સદીને લઇને 2,839 રન બનાવ્યા છે. આમ કરીને ગુપ્ટિલે રોહિતને પાછળ છોડી દીધો છે. રોહિતે ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોમાં અત્યાર સુધીમાં 108 મેચોમાં ચાર સદી અને 17 અડધી સદીની મદદથી 2,773 રન બનાવ્યા છે. આ સમયે ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોમાં વિરાટ કોહલીનાં સૌથી વધુ રન છે.
That ball has joined the Perseverance rover on Mars.
What a strike from Martin Guptill 🚀#NZvAUS https://t.co/xvCOxg6dux
— Wisden (@WisdenCricket) March 7, 2021
Cricket / સચિન-સેહવાગે ફરી બતાવી ધમાકેદાર બેટિંગ, 61 બોલમાં બનાવી દીધા 110 રન
કોહલીએ અત્યાર સુધી 5 મેચોમાં 2,928 રન બનાવ્યા છે. ગુપ્ટિલનું ફોર્મ ટી-20 શ્રેણીમાં આશ્ચર્યજનક હતું અને તે કુલ 218 રન બનાવવામાં સફળ રહ્યો હતો. ન્યૂઝીલેન્ડનાં ગુપ્ટિલ હવે ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં સૌથી વધુ રન બનાવનારો બીજો બેટ્સમેન બની ગયો છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
