PM મોદીએ બુધવારે વંશવાદ અને પરિવારવાદની રાજનીતિ માટે વિપક્ષને સખત નિશાન બનાવ્યું છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (પીએમજીકેવાય) નાં લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરતા PM એ કહ્યું કે, કેટલાક રાજકીય પક્ષોએ ઉત્તરપ્રદેશને માત્ર રાજકારણનાં ચશ્મા દ્વારા જોયું પરંતુ હવે ડબલ એન્જિન સરકારે રાજ્યને જોવાની રીત બદલી છે. આ પ્રસંગે નામ લીધા વગર વડાપ્રધાને ગાંધી પરિવાર પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, ‘નવું ભારત પરિવાર દ્વારા નહીં પરંતુ સખત મહેનતથી નક્કી થાય છે અને નવું ભારત પદ નહીં પણ મેડલ જીતીને લાવે છે.’
No matter how much some people (Opposition) try to disrupt Parliament proceedings and stall the development of the country, our country cannot become hostage to such selfishness and politics: PM Modi pic.twitter.com/q5wCuQ0kbh
— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 5, 2021
આ પણ વાંચો – કોરોના રસીકરણ / આવતીકાલે ૩૧ સેશન સાઈટ પર કોવીશીલ્ડ, ૦૨ સેસન સાઈટ પર કોવેક્સીન રસી અપાશે
PM નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉત્તર પ્રદેશમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનાં લાભાર્થીઓ સાથે વાતચીત કરી. PM મોદીએ વિનંતી કરી કે તેમણે વધુને વધુ લોકોને કોવિડ-19 (COVID19) સામે રસીકરણ માટે પ્રોત્સાહિત કરવા જોઈએ અને અફવાઓમાં વિશ્વાસ ન કરવો જોઈએ. આ સાથે જ PM મોદીએ આ દરમ્યાન કહ્યું કે, આજની તારીખ 5 ઓગસ્ટ ખૂબ જ ખાસ બની ગઈ છે. આ 5 ઓગસ્ટ જ છે, જ્યારે બે વર્ષ પહેલા દેશે એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને વધુ મજબૂત કરી હતી. 5 ઓગસ્ટનાં રોજ જ કલમ 370 હટાવીને જમ્મુ-કાશ્મીરનાં દરેક નાગરિકને દરેક અધિકાર, દરેક સુવિધામાં સંપૂર્ણ સહભાગી બનાવવામાં આવ્યા હતા.
August 5 will be remembered in history. Two years ago on this day, Article 370 was abrogated in Jammu and Kashmir. On this day last year, the first step was taken towards the construction of the Ram Temple in Ayodhya. Today, construction of a grand Ram Temple is underway: PM Modi pic.twitter.com/Y22AArNh5I
— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 5, 2021
આ પણ વાંચો – જમ્મુ-કાશ્મીર / કલમ 370 હટાવ્યાની બીજી વર્ષગાંઠ પર બારામુલ્લામાં આતંકીઓએ કર્યો પોલીસ પર હુમલો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ 5 મી ઓગસ્ટ છે જ્યારે ઘણા ભારતીયોએ સેંકડો વર્ષો પછી ભવ્ય રામ મંદિરનાં નિર્માણ તરફ પ્રથમ પગલું ભર્યું. આજે અયોધ્યામાં ઝડપી ગતિએ રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. આજે 5 ઓગસ્ટની તારીખ, ફરી એકવાર આપણા બધા માટે, ઉત્સાહ અને ઉમંગ લઈને આવી છે. આજે ખુદ દેશનાં યુવાનોએ ઓલિમ્પિક મેદાન પર હોકીનું પોતાનું ગૌરવ ફરી સ્થાપિત કરવા તરફ મોટી છલાંગ લગાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, એક તરફ આપણો દેશ, આપણા યુવાનો ભારત માટે નવી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યા છે, તેઓ વિજયનું લક્ષ્ય ધરાવે છે, જ્યારે દેશમાં કેટલાક લોકો એવા છે જે રાજકીય સ્વાર્થ માટે આત્મ-લક્ષ્યમાં રોકાયેલા છે. દેશ શું ઈચ્છે છે, દેશ શું હાંસલ કરી રહ્યો છે, દેશ કેવી રીતે બદલાઈ રહ્યો છે તેની તેમને ચિંતા નથી.
New India is gaining global recognition not through ranks, but by winning medals. It has been proved that one's progress is decided by hard work, not family. Indian youth is moving forward, it's progressing: PM Modi pic.twitter.com/a7P8swMOee
— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 5, 2021
આ પણ વાંચો – નારી ગૌરવ દિવસ / જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે અને રિદ્ધિ સિદ્ધિ આવે છે : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
PM મોદીએ કહ્યું, આ મહાન દેશ આવી સ્વાર્થી અને રાષ્ટ્રવિરોધી રાજનીતિનું બંધક ન બની શકે. આ લોકો દેશનાં વિકાસને રોકવાનો ગમે તેટલો પ્રયત્ન કરે, આ દેશ તેનાથી રોકાવાનો નથી. દરેક મુશ્કેલીને પડકારતા દેશ દરેક મોરચે ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે. જેઓ માત્ર તેમની સ્થિતિ માટે ચિંતિત છે, તેઓ હવે ભારતને રોકી શકતા નથી. રેન્ક નહીં મેડલ જીતીને નવું ભારત વિશ્વ પર રાજ કરી રહ્યું છે. નવા ભારતમાં આગળ વધવાનો માર્ગ પરિવાર દ્વારા નહીં, પણ સખત મહેનતથી નક્કી થશે અને તેથી, આજે ભારતનો યુવક કહી રહ્યો છે – ભારત આગળ વધી રહ્યુ છે, ભારતનો યુવા પણ આગળ વધી રહ્યો છે.
