ગુરુવારે મુંબઈ મહાનગરમાં ભારે વરસાદ પડ્યો હતો. એક દિવસના વરસાદે આખા શહેરને દયનીય બનાવી દીધું હતું અને આખું મુંબઈ વરસાદના પાણીથી ડૂબી ગયું હતું. સાથે જ સતત વરસાદના કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જણાવી દઈએ કે મુંબઈના અંધેરીથી લઈને સાંતાક્રુઝ અને હિંદમાતા અને વરલી સુધીના ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે અને લોકોને અવરજવરમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે ટ્રાફિક વ્યવસ્થા ઠપ્પ થઈ ગઈ છે.
મુંબઈના અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે
જણાવી દઈએ કે, ગુરુવારે મુંબઈમાં 10 મીમી વરસાદ નોંધાયો છે. હાલમાં શહેરમાં સતત વરસાદ ચાલુ છે. જેના કારણે ભારે જળબંબાકાર પણ સર્જાયો છે. લોઅર પરેલ વિસ્તારના રસ્તાઓ અને શેરીઓ વરસાદના પાણીમાં સંપૂર્ણપણે ડૂબી ગઈ છે. શહેરમાં ભારે વરસાદને કારણે, અંધેરીના કેટલાક ભાગોમાં પણ પાણી ભરાઈ ગયા છે.
#WATCH | Mumbai: Incessant rainfall in the city has led to severe water-logging. Roads & lanes in Lower Parel area continue to remain inundated in rainwater pic.twitter.com/STDS6hgTFV
— ANI (@ANI) June 30, 2022
વરસાદના કારણે અનેક અકસ્માતો પણ સર્જાયા હતા
શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સાથે વરસાદને કારણે અનેક અકસ્માતો પણ સર્જાયા હતા. ગુરુવારે કાલબાદેવીમાં એક મોટું મકાન ધરાશાયી થવા ઉપરાંત, સિવિલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે બે મકાનોની દીવાલ ધરાશાયી થવાની, 10 વૃક્ષો અને ડાળીઓ પડવાના બનાવો અને 8 શોર્ટ-સર્કિટના બનાવો નોંધ્યા હતા. કેટલાક વિસ્તારોમાં ધીમી ગતિએ ચાલતો ટ્રાફિક પણ નોંધાયો હતો, જ્યારે અંધેરીમાં પાણી ભરાવાને કારણે મેટ્રોને અસ્થાયી રૂપે બંધ કરવી પડી હતી. વાહનચાલકોએ વિઝિબિલિટી ઓછી હોવાની ફરિયાદ પણ કરી હતી.
હવામાન વિભાગે 24 કલાક માટે એલર્ટ જાહેર કર્યું છે
ગુરુવારે મુંબઈમાં ભારે વરસાદ પછી, ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી 24 કલાક માટે શહેર અને પડોશી જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. IMD મુંબઈએ 1લી જુલાઈએ રાયગઢ અને 1લી જુલાઈ અને 2જી જુલાઈએ રત્નાગિરી માટે ઓરેન્જ એલર્ટ પણ જારી કર્યું છે. 1 જુલાઈથી 4 જુલાઈ વચ્ચે આગામી ત્રણથી ચાર દિવસમાં વરસાદની તીવ્રતામાં સુધારો થવાની શક્યતા છે. દરમિયાન મુંબઈમાં સોમવાર સુધી ભારે વરસાદની સંભાવના છે. વરસાદને કારણે, મુંબઈના તળાવોના સ્તરમાં પણ 10 ટકાનો વધારો થવાની સંભાવના છે.
આ પણ વાંચો: સેનાના 7 જવાનો સહિત 14ના મોત, 25 જવાન હજુ પણ લાપતા
