વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના વડોદરામાં C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ટાટા સન્સના ચેરપર્સન એન ચંદ્રશેખરન અને અર્બન એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાતના વડોદરામાં સ્મૃતિ ચિહ્ન અને સન્માન અર્પણ કર્યું હતું. દેશમાં પ્રથમવાર ખાનગી કંપની એરક્રાફ્ટ બનાવવા જઈ રહી છે.
સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે ટાટા એરબસ આ વિમાનોનું નિર્માણ કરશે. સંરક્ષણ સચિવના જણાવ્યા અનુસાર, 40 એરક્રાફ્ટ ઉપરાંત, ટાટા એરબસ પણ એરફોર્સની જરૂરિયાત અને પરિવહનના આધારે વધારાના વિમાનોનું ઉત્પાદન કરશે.
આપને જણાવી દઈએ કે ગયા વર્ષે સપ્ટેમ્બર 2021માં ભારતીય વાયુસેનાએ યુરોપની એરબસ સાથે કરાર કર્યો હતો. આ કરાર હેઠળ ટાટા કંપની સાથે મળીને ભારતમાં જ 40 એરક્રાફ્ટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે, વિમાનના નિર્માણમાં ભારતની 96 ભાગીદારી હશે.
Gujarat| The transport aircrafts that'll be manufactured here will not only give power to our Army but also develop a new ecosystem of manufacturing aircraft… Soon, India will witness the passenger aircraft that will be made with the tag of 'Make In India': PM Modi, in Vadodara pic.twitter.com/xY2bGtBs2a
— ANI (@ANI) October 30, 2022
આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે આજે આપણે ભારતને વિશ્વનું સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની દિશામાં એક મોટું પગલું ભરી રહ્યા છીએ. આજે ભારત પોતાનું ફાઈટર પ્લેન, ટેન્ક, સબમરીન બનાવી રહ્યું છે. એટલું જ નહીં, ભારતમાં બનેલી દવાઓ અને રસી પણ વિશ્વના કરોડો લોકોના જીવન બચાવી રહી છે.
પીએમ મોદીએ કહ્યું કે ભારત મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ગ્લોબના આ મંત્ર પર આગળ વધી રહ્યું છે. હવે ભારત ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું પણ મોટું ઉત્પાદક બનશે. આજે તેને ભારતમાં લોન્ચ કરવામાં આવી રહ્યું છે. અને હું એ દિવસ જોઈ રહ્યો છું જ્યારે દુનિયાનું સૌથી મોટું પેસેન્જર એરક્રાફ્ટ પણ ભારતમાં બનશે.
રક્ષા મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં બનેલા એરક્રાફ્ટની સપ્લાય 2026 થી 2031 વચ્ચે રહેશે. તે જ સમયે, અગાઉના 16 એરક્રાફ્ટ 2023 અને 2025 વચ્ચે આવશે. ભારતીય વાયુસેનાના વાઇસ ચીફ એર માર્શલ સંદીપ સિંહે કહ્યું કે આ ડીલ પૂર્ણ થયા બાદ ભારતીય વાયુસેના C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું સૌથી મોટું ઓપરેટર બની જશે. આ એરક્રાફ્ટના નિર્માણમાં જે પણ થશે, તેને ભારતમાં જ બનાવવાના પ્રયાસો કરવામાં આવશે.
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આજે ગુજરાત વિકાસના દરેક ક્ષેત્રે દેશનું રોલ મોડેલ છે. આ વડાપ્રધાનના પ્રયાસોનું પરિણામ છે. છેલ્લા દાયકાઓમાં ગુજરાતે ઉદ્યોગ, કૃષિ અને સામાજિક વિકાસમાં જે આગવું સ્થાન મેળવ્યું છે તેમાં પણ વડાપ્રધાનનું સમર્પણ છે.
આ પણ વાંચો:થંભી જશે રેલ, વીજળી માટે ઝંખશે લોકો, PAKને બરબાદીના આરે લઇ આવ્યું ચીને
આ પણ વાંચો:લોકો જેને મૂર્તિ માનતા હતા, પીએમ મોદીના વિઝને તેને ભવ્ય પર્યટન કેન્દ્ર બનાવી દીધું
