વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે બ્રિટિશ વડા પ્રધાન બોરીસ જહોનસન સાથે વર્ચુઅલ બેઠક કરશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ દરમિયાન બંને નેતાઓ આગામી દસ વર્ષના દ્વિપક્ષીય સંબંધો માટે રોડમેપ રજૂ કરશે.
પ.બંગાળ પરિણામ / નંદીગ્રામમાં હાર બાદ દીદી ભડક્યા, કહ્યુ- ચૂંટણી પંચે ભાજપનાં પ્રવક્તા તરીકેની ભૂમિકા ભજવી અને હવે…

વિદેશ મંત્રાલયે કહ્યું કે આ બંને દેશોના પરસ્પર હિત માટે વૈશ્વિક અને પ્રાદેશિક સહયોગ વધારવા અને બહુપક્ષીય વ્યૂહાત્મક સંબંધોને મજબૂત બનાવવાની એક મહત્વપૂર્ણ તક હશે. આનાથી આગામી દાયકામાં ભારત-યુકેના પાંચ મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ વધુ ઊંડો થશે.
સુપ્રીમ કોર્ટ / લોકડાઉન પર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કરે વિચારણા : સુપ્રીમ કોર્ટ

ચૂંટણી પરિણામ / પેટાચૂંટણીમાં ભાજપની 6 જ્યારે કોંગ્રેસની 5 સીટો પર જીત
આ પાંચ મુખ્ય ક્ષેત્રો લોકોથી લોકોનો સંપર્ક, વેપાર અને સમૃદ્ધિ, સંરક્ષણ અને સુરક્ષા, આબોહવા અને આરોગ્ય છે. જ્હોનસન ગયા મહિને ભારતની મુલાકાતે આવવાનું હતું, પરંતુ કોરોના રોગચાળાને કારણે તેણે તેમનો પ્રવાસ રદ કર્યો હતો.

