પીએમ નરેન્દ્ર મોદીએ શુક્રવારે કોરોના અને રસીકરણની સ્થિતિ અંગે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. કેરળ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં વધુ કેસનો ઉલ્લેખ કરતા સરકારે કહ્યું છે કે કોઈ છૂટછાટ આપી ન શકાય. પીએમ મોદીએ ‘કોવિડ ઇમરજન્સી રિસ્પોન્સ પેકેજ II’ હેઠળ બાળરોગ સંભાળ અને અન્ય સુવિધાઓ માટે પથારીની ક્ષમતામાં વધારાની સ્થિતિની સમીક્ષા કરી હતી. રાજ્યોને પણ સલાહ આપવામાં આવી છે કે તેઓ ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિનો સામનો કરવા માટે આ વિસ્તારોમાં પ્રાથમિક સંભાળ અને બ્લોક સ્તરના આરોગ્ય માળખાને ફરીથી ડિઝાઇન અને તૈયાર કરે.
આ પણ વાંચો :શિવરાજ સરકાર લાવી રહી છે નવો કાયદો ગરીબોને મળશે પૈસા..જાણો
ઓક્સિજનની વધતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે પીએ મોદીએ ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ, સિલિન્ડરો અને પીએસએ પ્લાન્ટ્સ સહિત સમગ્ર સિસ્ટમને ઝડપથી વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. સરકારે જણાવ્યું હતું કે દરેક જિલ્લામાં ઓછામાં ઓછો એક પીએસએ પ્લાન્ટ સ્થાપવાના ઉદ્દેશ સાથે 961 લિક્વિડ મેડિકલ ઓક્સિજન સ્ટોરેજ ટેન્ક અને 1,450 મેડિકલ ગેસ પાઇપલાઇન સિસ્ટમ્સ સ્થાપવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. દરેક બ્લોકમાં ઓછામાં ઓછી એક એમ્બ્યુલન્સની જોગવાઈ સુનિશ્ચિત કરવા માટે એમ્બ્યુલન્સ નેટવર્કને પણ વધારવામાં આવી રહ્યું છે.
પીએમ મોદીએ દેશભરમાં સ્થાપવામાં આવી રહેલા પીએસએ ઓક્સિજન પ્લાન્ટની સ્થિતિની પણ સમીક્ષા કરી અને માહિતી આપી કે લગભગ એક લાખ ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ અને ત્રણ લાખ ઓક્સિજન સિલિન્ડરો રાજ્યોમાં વહેંચવામાં આવ્યા છે.
આ પણ વાંચો : કોરોના મહામારી વચ્ચે બિહારમાં સ્વાઈન ફ્લૂના કેસ
રસીઓ પર, નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દેશની લગભગ 58 ટકા પુખ્ત વસ્તીએ પ્રથમ ડોઝ લીધો હતો અને લગભગ 18 ટકાએ બંને ડોઝ મેળવ્યા હતા. પીએમ મોદીએ આગામી રસીઓ અને રસીનો પુરવઠો વધારવા વિશે પણ માહિતગાર કર્યા હતા. તેમણે વાયરસના ઉદભવ પર નજર રાખવા માટે સતત જીનોમ સિક્વન્સિંગની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીને માહિતી આપવામાં આવી હતી કે INSACOG (COVID-19 Sequencing Consortium) હેઠળ દેશભરમાં હવે 28 પ્રયોગશાળાઓ છે.
પીએમ મોદીએ દેશભરમાં પર્યાપ્ત પરીક્ષણ સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને જાહેર આરોગ્ય કેન્દ્રોમાં RT-PCR પ્રયોગશાળાઓ સ્થાપવા માટે 433 જિલ્લાઓમાં સમર્થન આપવાની વાત કરી હતી.
આ પણ વાંચો :વડાપ્રધાન મોદી અમેરિકાના પ્રવાસે જ / અમેરિકી રાષ્ટ્રપતિ સાથે ૨૩મીના રોજ બેઠક કરશે
પીએમ મોદીના અગ્ર સચિવ, કેબિનેટ સચિવ, મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર, આરોગ્ય સચિવ, સભ્ય (આરોગ્ય) નીતિ આયોગ અને અન્ય મહત્વપૂર્ણ અધિકારીઓ બેઠકમાં હાજર હતા. બેઠકના એક દિવસ પહેલા, કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે ભારત હજુ પણ કોવિડ -19 ની બીજી લહેરમાંથી પસાર થઈ રહ્યું છે અને તે હજી પૂરું થયું નથી. તેમણે કહ્યું હતું કે 35 જિલ્લાઓમાં હજુ પણ સાપ્તાહિક ચેપ દર 10 ટકાથી વધુ છે, જ્યારે 30 જિલ્લાઓમાં તે પાંચથી 10 ટકાની વચ્ચે છે.
Chaired a meeting to review the COVID-19 and vaccination situation. Discussed ways to boost health infrastructure and further scale up vaccination. https://t.co/UnnLjNdZ7j
— Narendra Modi (@narendramodi) September 10, 2021
ભારતમાં કોરોના વાયરસ સંક્રમણના 34,973 નવા કેસ નોંધાયા છે, ત્યારબાદ દેશમાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા હવે વધીને 3,31,74,954 થઈ ગઈ છે. જ્યારે આ સમયગાળા દરમિયાન 260 દર્દીઓના મૃત્યુ બાદ, સંક્રમણથી મૃત્યુઆંક 4,42,009 પર પહોંચી ગયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં કોરોના વાયરસના સક્રિય દર્દીઓ હવે ઘટીને 3.90 લાખ પર આવી ગયા છે.
આ પણ વાંચો :વિશ્લેષણ / ચૂંટણી ટાણે રાજકારણીઓ ખેલે છે અનેક ખેલ!!
આરોગ્ય મંત્રાલયે માહિતી આપી છે કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં 37,681 લોકો કોરોના વાયરસ થી સાજા થયા છે, ત્યારબાદ કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા 3,23,42,299 થઈ ગઈ છે. આ ઉપરાંત સક્રિય કેસોની સંખ્યા હાલમાં 3,90,646 છે, જે કુલ કેસોના 1.18 ટકા છે. દૈનિક કોરોના વાયરસ પોઝિટિવિટી રેટ 1.96 ટકા છે, જે છેલ્લા 11 દિવસથી 3 ટકાથી ઓછો છે. જ્યારે વિકલી પોઝિટિવિટી રેટ 2.31 ટકા છે, જે 77 દિવસથી 3 ટકાથી નીચે રહ્યો છે. મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધીમાં દેશભરમાં 72,37,84,586 કોરોના રસી ડોઝ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો :દેશમાં આજે ફરી ઘટ્યા કોરોનાનાં કેસ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 34,973 નવા કેસ
