આગામી વર્ષે ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, આવી સ્થિતિમાં તમામ રાજકીય પક્ષોએ તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને પોતાના રાજકીય સમીકરણને વ્યવસ્થિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. દરમિયાન, કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ ઉભી કરી છે.
We are of the opinion that caste-based census should be conducted in the country: Republican Party of India (Athawale) chief & Union Minister Ramdas Athawale in Gorakhpur (19.05) pic.twitter.com/OQGU7rsrTk
— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 16, 2021
આ પણ વાંચો – ભાજપ માટે કપરા ચઢાણ ? / કોળી સમાજની ચીમકી, -જો કુંવરજી બાવળિયાને મંત્રીમંડળમાંથી પડતા મૂકવામાં આવ્યા તો ….
આપને જણાવી દઇએ કે, આઠવલેએ કહ્યું કે અમે જાતિ આધારિત વસ્તી ગણતરીનાં સમર્થનમાં છીએ, અમે માનીએ છીએ કે દેશમાં જાતિનાં આધારે વસ્તી ગણતરી થવી જોઈએ. એટલું જ નહીં, આઠવલેએ આંતર જાતિનાં લગ્નની પણ હિમાયત કરી છે અને તેમણે કહ્યું કે તેને પ્રોત્સાહન આપવાની જરૂર છે. દેશમાં 1.25 લાખ આંતર જાતિનાં લગ્ન થયા છે. ગોરખપુરમાં, રામદાસ આઠવલે તેમના પક્ષનાં કાર્યકરોને મળ્યા અને પ્રબુદ્ધ લોકો સાથે બેઠક યોજી હતી. રામદાસ આઠવલેએ કહ્યું કે, તેઓ આગામી વર્ષે ભાજપ સાથે જોડાણમાં ચૂંટણી લડવા માંગે છે. એટલું જ નહીં, આઠવલેએ જેપી નડ્ડા અને અમિત શાહ સાથે બેઠક વહેંચણી માટે વાતચીતનો દાવો પણ કર્યો છે. આઠવલેએ કહ્યું કે તેમની પાર્ટી 26 સપ્ટેમ્બરે બહુજન સમાજ કલ્યાણ યાત્રા કાઠશે. તે સહારનપુરથી શરૂ થશે અને રાજ્યનાં તમામ જિલ્લાઓમાં જશે. 18 ડિસેમ્બરે આ યાત્રા લખનઉ પહોંચશે, જ્યાં રમાબાઈ આંબેડકર પાર્કમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવશે.
BJP should fight the next UP polls in alliance with RPI (Athawale) & allocate 10-12 seats to us. I've told BJP chief JP Nadda & Union Home Min Amit Shah that if BJP fights polls with us, it can be a major setback to BSP: RPI (Athawale) chief & Union Min Ramdas Athawale (19.05) pic.twitter.com/NhPfv9OLaS
— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 16, 2021
આ પણ વાંચો – સુરેન્દ્રનગર / લીંબડી હાઈવે પર નિર્માણાધીન ઓવર બ્રિજના ખાડામાંથી લાશ મળી હત્યા, આત્મહત્યા કે દુર્ઘટના? રહસ્ય અકબંધ
આઠવલેએ કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીએ રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા સાથે જોડાણમાં ચૂંટણી લડવી જોઈએ. ભાજપે અમને 10-12 બેઠકો આપવી જોઈએ. મેં ભાજપનાં અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહને કહ્યું છે કે, જો ભાજપ અમારી સાથે લડવા માંગે છે તો બસપા માટે આ મોટો ફટકો હોઈ શકે છે. આ સાથે આઠવલેએ ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે, યોગી સરકાર હેઠળ રાજ્યમાં ગુંડારાજ સમાપ્ત થયું છે. દરેક વિભાગનાં લાભ માટે કામ કરવામાં આવ્યું છે.
