પેન્ટાગોને શુક્રવારે કહ્યું કે સીરિયામાં અમેરિકી ડ્રોન હુમલામાં અલ-કાયદાનો એક વરિષ્ઠ કમાન્ડર માર્યો ગયો છે. સેન્ટ્રલ કમાન્ડનાં પ્રવક્તા મેજર જોન રિગ્સબીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમેરિકાનાં હવાઈ હુમલામાં આજે ઉત્તર-પશ્ચિમ સીરિયામાં અલ-કાયદાનાં વરિષ્ઠ નેતા અબ્દુલ હમીદ અલ-માતરનું મોત થયું છે.”

આ પણ વાંચો – ગોળીબાર / અમેરિકાના વોશિંગ્ટન સહિત બે શહેરોમાં બંદૂકધારીનો ગોળીબાર,સાત લોકોનાં મોત
સીરિયામાં અમેરિકી ડ્રોન હુમલામાં અલ-કાયદાનો એક વરિષ્ઠ નેતા માર્યો ગયો છે. પેન્ટાગોને શુક્રવારે આ જાણકારી આપી હતી. આ હુમલો દક્ષિણ સીરિયામાં ઇસ્લામિક સ્ટેટ જૂથ સામે લડતા US નાં નેતૃત્વ હેઠળનાં ગઠબંધન દ્વારા ઉપયોગમાં લેવાતા બેઝ પર હુમલાનાં બે દિવસ પછી થયો છે. સેન્ટ્રલ કમાન્ડનાં પ્રવક્તા આર્મી મેજર જોન રિગ્સબીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આજે ઉત્તર-પશ્ચિમ સીરિયામાં અમેરિકી હવાઈ હુમલામાં અલ-કાયદાનાં વરિષ્ઠ નેતા અબ્દુલ હમીદ અલ-માતરનું મોત થયું છે.
Senior Al-Qaeda leader killed in US drone strike in Syria, reports AFP quoting Pentagon
— ANI (@ANI) October 23, 2021
તેમણે કહ્યું કે, આ સ્ટ્રાઇકમાં કોઈને ઈજા થઈ નથી. MQ-9 એરક્રાફ્ટનો ઉપયોગ કરીને આ હુમલો કરવામાં આવ્યો હતો. અલ-કાયદાનાં આ વરિષ્ઠ નેતાનાં મોતથી આતંકવાદી સંગઠનની વૈશ્વિક હુમલાઓ કરવાની અને વધુ કાવતરું કરવાની ક્ષમતામાં અવરોધ આવશે. સપ્ટેમ્બરનાં અંતમાં, પેન્ટાગોને સીરિયામાં અલ-કાયદાનાં અન્ય એક વરિષ્ઠ કમાન્ડર, સલીમ અબુ-અહમદને દેશનાં ઉત્તર-પશ્ચિમમાં ઇદલિબ નજીક હવાઈ હુમલામાં માર્યો હતો.

આ પણ વાંચો – પ્રવાસે / આજે ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરના પ્રવાસે,કડક સુરક્ષા કરવામાં આવી
નિવેદન અનુસાર, અલ કાયદા યુનાઇટેડ સ્ટેટ્સ અને અમારા સહયોગીઓ માટે ખતરો છે. અલ-કાયદા સીરિયાનો પુનઃનિર્માણ માટે સુરક્ષિત આશ્રયસ્થાન તરીકે ઉપયોગ કરે છે, બાહ્ય સાથીઓ સાથે સંકલન કરે છે અને બાહ્ય કામગીરીનું આયોજન કરે છે. અલ-કાયદા સીરિયા, ઇરાક અને તેનાથી આગળનાં દેશો સુધી પહોંચતા ખતરા માટે સીરિયાનો એક આધાર તરીકે પણ ઉપયોગ કરે છે. અમેરિકા અલ-કાયદા અને અન્ય આતંકવાદી સંગઠનોનાં સભ્યોને નિશાન બનાવવાનું ચાલુ રાખશે જે અમેરિકન ભૂમિને નુકસાન પહોંચાડવા માગે છે.
