ભારતના કર્ણાટક રાજ્યમાં ચાલી રહેલા હિજાબ વિવાદમાં હવે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરીફ અલ્વીએ ઝેરીલું નિવેદન આપ્યું છે. આરીફ અલ્વીએ કહ્યું કે ભારત ‘મુસ્લિમોના સામૂહિક નરસંહાર’ તરફ આગળ વધી રહ્યું છે. મોદી સરકારના મૌનથી તેને વેગ મળી રહ્યો છે. જ્યારે પાકિસ્તાની રાષ્ટ્રપતિએ ભારતમાં મુસ્લિમોને ભડકાવવાનો ખોટો દાવો કર્યો હતો, ત્યારે શનિવારે કુરાનનું અપમાન કરવા બદલ તેના જ દેશમાં એક વ્યક્તિને માર મારવામાં આવ્યો હતો.
Noam Chomsky: India is turning Muslims into persecuted minorityhttps://t.co/h18LVOcVQr via @FacebookWatch
Scary violence in the cities. India is moving towards a ‘mob’ genocide of Muslims, encouraged by the silence of ‘look-the-other-way’ Modi Govt of Gujrat-massacre experience— Dr. Arif Alvi (@ArifAlvi) February 12, 2022
આરીફ અલ્વીએ એવો પણ દાવો કર્યો હતો કે ભારતના શહેરોમાં ડરામણી હિંસા થઈ રહી છે. તેમણે અમેરિકન પ્રોફેસર નોમ ચોમ્સ્કીનું નિવેદન પણ શેર કર્યું છે જેમાં MIT નિષ્ણાતે દાવો કર્યો હતો કે ‘ઈસ્લામોફોબિયા ભારતમાં સૌથી ઘાતક સ્વરૂપ બની ગયું છે’. ચોમ્સ્કીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે ભારતના 250 મિલિયન મુસ્લિમો “સતાવણીગ્રસ્ત લઘુમતી” બની ગયા છે. એમઆઈટીના પ્રોફેસરે એવો પણ દાવો કર્યો હતો કે મોદીની આગેવાની હેઠળની દક્ષિણપંથી હિન્દુ રાષ્ટ્રવાદી સરકાર હેઠળ કાશ્મીરમાં “ગુનાઓ” વધ્યા છે.
આ પહેલા પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કર્ણાટક હિજાબ વિવાદને લઈને ઈસ્લામાબાદ ખાતેના ભારતીય રાજદૂતને સમન્સ પાઠવ્યા હતા. પાકિસ્તાની મંત્રાલયે કર્ણાટક હિજાબ વિવાદ પર ભારતીય રાજદ્વારી સમક્ષ ગંભીર ચિંતા નોંધાવી હતી. પાકિસ્તાને કર્ણાટકમાં મુસ્લિમ વિદ્યાર્થીનીઓને હિજાબ પહેરવાથી રોકવાના દાવાની નિંદા કરી છે. આના પર, ઇસ્લામાબાદમાં ભારતીય ચાર્જ ડી અફેર્સ સુરેશ કુમાર, ભારતના વરિષ્ઠ રાજદ્વારીએ પાકિસ્તાનના આરોપોને સખત રીતે નકારી કાઢતા, યોગ્ય જવાબ આપ્યો.
