વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે નમામી ગંગે પ્રોજેક્ટ અંગે મંથન કરવા ઉત્તર પ્રદેશનાં કાનપુર પહોંચ્યા હતા. બેઠક બાદ મોદી અટલ ઘાટ પહોંચ્યા અને ‘મા ગંગા’ને પ્રણામ કર્યા. આ દરમિયાન ઘાટ પર જતાં તે લપસી પડ્યા હતા. તેમની સાથે ચાલી રહેલા એસપીજી જવાને તાત્કાલિક તેમને પકડી લીધા હતા.
આપને જણાવી દઈએ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે નમામી ગંગે પ્રોજેક્ટ અંગે મંથન કર્યુ હતુ. તેમણે રાષ્ટ્રીય ગંગા નદી પુનર્જીવન, સલામતી અને મેનેજમેન્ટ કાઉન્સિલ (રાષ્ટ્રીય ગંગા પરિષદ) ની બેઠકની અધ્યક્ષતા કરી હતી. લગભગ બે કલાક ચાલેલી બેઠકમાં નમામી ગંગાનાં આગામી તબક્કા અને નવી એક્શન પ્લાન અંગે ચર્ચા સાથે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.
બેઠક બાદ પીએમ મોદી અટલ ઘાટ પહોંચ્યા હતા અને ‘મા ગંગા’ને પ્રણામ કર્યા હતા. ત્યારબાદ તેમણે સ્ટીમર દ્વારા ગંગાની સ્વચ્છતાનું નિરીક્ષણ કર્યું. કાઉન્સિલની બેઠકમાં ઉત્તરાખંડનાં મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતા. કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર અને બિહારનાં નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સવારે કાનપુરનાં ચકેરી એરપોર્ટ પર એક ખાસ વિમાનમાં ઉતર્યા હતા. જ્યાં રાજ્યનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમના મંત્રીમંડળનાં સાથીઓ અને કેન્દ્રીય મંત્રીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. નમામિ ગંગાનાં અભિયાનમાં રોકાયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કાનપુરમાં ગંગા નદીને અવિરત અને સ્વચ્છ બનાવવાનાં તેમના પ્રયત્નોની સાથે સાથે કાનપુર શહેરમાં ‘નમામી ગંગા’ પ્રોજેક્ટ અને ગંગા નદીમાં પડેલા નાળાઓની હાલતની પણ ચકાસણી કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.