પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઓગસ્ટ 2014 માં શરુ કરવામાં આવેલ પ્રધાનમંત્રી જનધન યોજના (પીએમજેડીવાય) શરૂઆતમાં ચાર વર્ષ માટે ખુલી મુકવામાં આવી હતી.
પરંતુ અત્યારે તેમાં સુધારા કરવામાં આવ્યા છે. જો તમે જનધન ખાતા ધારક છો તો તમારા માટે એક ખુશીનાં સમાચાર છે. સરકારે આ જનધન ખાતાને ઓપન એન્ડેડ એટલે કે હંમેશા ખુલ્લું રહેતું ખાતું બનાવવાનો વિચાર પ્રસ્તુત કર્યો છે.
જનધન ખાતા ધારકોને મળતા અકસ્માત વિમાની રકમ પહેલા એક લાખ રૂપિયા હતી, હવે તે રકમને વધારીને બે લાખ કરી દેવામાં આવી છે. આ રૂપે કાર્ડમાં લેવામાં આવતા પ્રીમિયમની વાત કરવામાં આવે તો પ્રતિ કાર્ડ ખાતામાંથી 47 પૈસાનું પ્રીમિયમ લેવામાં આવે છે.
જો કે વાત કરવામાં આવે તો આ ખાતામાં અન્ય સુધારાઓમાં ઈન્સેન્ટિવ જોડાવાનો ફેંસલો પણ કર્યો છે. આ મુદ્દે કેન્દ્ર સરકાર કેબિનેટ નાણાંમંત્રી અરુણ જેટલીએ જણાવ્યું હતું કે, હવેથી આ યોજના અંતર્ગત ખાતું અચોક્કસ મુદ્દત સુધી ખુલ્લું રાખી શકાશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ ખાતામાં મળતી ઓવર ડ્રાફ્ટની રકમ પહેલા 5,000 હતી. હવે તે સુવિધાને વધારીને બે ગણી એટલે કે 10,000 કરી દેવામાં આવી છે.
