કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ બસપા વડા માયાવતીને મળ્યા અને તેમની માતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. માયાવતીની માતા રામરતિનું શનિવારે દિલ્હીમાં કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન થયું હતું. ભારતીય જનતા પાર્ટી (BJP), સમાજવાદી પાર્ટી (SP) અને BSPના નેતાઓએ પણ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સહિત BSP અધ્યક્ષની માતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
बहुजन समाज पार्टी की राष्ट्रीय अध्यक्ष एवं उप्र की पूर्व मुख्यमंत्री सुश्री @Mayawati जी की माता जी श्रीमती रामरती जी के निधन का दुखद समाचार मिला।
ईश्वर उन्हें श्रीचरणों में स्थान दें एवं इस दुख की घड़ी में परिजनों को कष्ट सहने का साहस दें।
ॐ शांति।
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) November 13, 2021
આ પણ વાંચો : મુંબઈને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રેલવે પોલીસ કમિશનરે ટ્વીટ કરી કર્યા એલર્ટ, સ્ટેશનો પર સુરક્ષા વધારી
બસપા દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 92 વર્ષીય રામરતિનું રાષ્ટ્રીય રાજધાનીની એક હોસ્પિટલમાં નિધન થયું હતું જ્યાં તેની સારવાર ચાલી રહી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બીએસપી અધ્યક્ષ તેમની માતાના મૃત્યુની માહિતી મળતા જ દિલ્હી જવા રવાના થઈ ગયા.
Delhi: Congress General Secretary Priyanka Gandhi Vadra met BSP chief Mayawati today. She had come to offer condolences for the BSP chief's mother who passed away yesterday.
(Source: Priyanka Gandhi Vadra's office) pic.twitter.com/l2wwywehKe
— ANI (@ANI) November 14, 2021
પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ પાર્ટી અધ્યક્ષની માતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. માયાવતીના પિતા પ્રભુ દયાલનું એક વર્ષ પહેલા 95 વર્ષની વયે નિધન થયું હતું.
अति-दुःख के साथ यह सूचित किया जाता है कि बीएसपी की राष्ट्रीय अध्यक्ष, पूर्व सांसद व यूपी की पूर्व मुख्यमंत्री बहन कु. @Mayawati जी की पूज्य माता श्रीमती रामरती जी का लगभग 92 वर्ष की उम्र में आज हॉस्पिटल में हृदय गति रुकने से स्वर्गवास हो गया है। pic.twitter.com/cQ6qngZxRd
— Bahujan Samaj Party (@bspindia) November 13, 2021
આ પણ વાંચો :ભાજપનો દાવો છે કે કોંગ્રેસ શાસન હેઠળ ભારત આંશિક રીતે ‘મુસ્લિમ રાષ્ટ્ર’ હતું
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે એક ટ્વીટમાં કહ્યું કે, “ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બસપાના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીજીના પૂજનીય માતાજી રામરતિજીનું નિધન અત્યંત દુખદ છે. ભગવાન શ્રી રામ દિવંગત પુણ્યશાળી આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે અને શોકાતુર પરિવારના સભ્યોને આ અપૂર્ણ ખોટ સહન કરવાની શક્તિ આપે.
उ.प्र. की पूर्व मुख्यमंत्री एवं बसपा की राष्ट्रीय अध्यक्ष सुश्री मायावती जी की पूज्य माताजी श्रीमती रामरती जी का निधन अत्यंत दुःखद है।
प्रभु श्री राम दिवंगत पुण्यात्मा को अपने श्री चरणों में स्थान व शोकाकुल परिजनों को यह अथाह दुःख सहने की शक्ति प्रदान करें।
ॐ शांति!
— Yogi Adityanath (@myogiadityanath) November 13, 2021
સપા પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે શનિવારે એક ટ્વીટમાં માયાવતીની માતાના અવસાનને અત્યંત દુઃખદ ગણાવ્યું હતું અને શોકગ્રસ્ત પરિવારના સભ્યો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરતાં તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
આ પણ વાંચો :ક્રિપ્ટોકરન્સી ટેરર ફંડિંગ અને મની લોન્ડરિંગનું હથિયાર ન બનવું જોઈએઃ પીએમ મોદી
આ પણ વાંચો : દાઉદના સુત્રધારની પત્નીએ લગાવ્યો બળાત્કારનો આરોપ, હાર્દિક પંડયા, મુનાફ પટેલ અને રાજીવ શુક્લાના નામ સામેલ
આ પણ વાંચો :ગઢચિરોલીમાં પોલીસ એન્કાઉન્ટરમાં 26 નક્સલવાદીઓ ઠાર માર્યા ગયા
