ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ નવસર્જન યાત્રાના બીજા દિવસની શરૂઆત વડોદરાથી કર્યો હતો. રાહુલ ગાંધીએ વડોદરામાં સ્તિથ ડો. બાબા સાહેબ આંબેડકરની સંકલ્પ ભૂમિ પર પ્રતિમાને પુષ્પાંજલિ આપી કરી હતી. તેમજ આ પ્રસંગે આયોજિત પ્રાથર્ના સભામાં પણ ઉપસ્થિત રહ્યાં હતા.
ત્યારબાદ રાહુલ ગાંધી સયાજી હોલમાં સંબોધન કરશે અને ત્યાંથી ભાયલી જશે. પાદરા અને કરજણમાં લોકો સાથે સંવાદ કરશે તેમજ બપોરે ડભોઈમાં એપીએમસીના ખેડૂતો અને સામાન્ય લોકો સાથે પણ સંવાદ કરશે.
રાહુલ ગાંધીની યાત્રા બપોર બાદ પનસોલી ગામમાં પહોંચશે અને ત્યાર બાદ યાત્રાને મોડી સાંજે છોટા ઉદેપુરમાં જાહેરસભા યોજશે.