- રાજનાથે કહ્યું, પાકિસ્તાને આતંકવાદની તપાસ કરવી જોઈએ
- ભારત લોકોને જાતિ અથવા ધર્મ પર વિભાજિત કરતું નથી
- પાકિસ્તાન આતંકવાદ બંઘ કરે
- નહીં તો વધું ટુકડામાં વહેંચાય જશે
આતંકવાદના મુદ્દે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ફરી એકવાર પાકિસ્તાન પર પ્રહાર કર્યા છે. રાજનાથસિંહે કહ્યું છે કે પાકિસ્તાને આતંકવાદને કાબૂમાં લેવો જોઈએ, નહીં તો કોઈ પણ તેને ટુકડાઓમાં ટુટતા રોકી શકશે નહીં. રાજનાથસિંહે કહ્યું કે ભારતની લઘુમતીઓ સલામત છે, સુરક્ષિત છે, અને સુરક્ષિત રહેશે. ભારત જાતિ અથવા ધર્મના આધારે લોકોને વહેંચતો નથી.
રાજનાથસિંહે કહ્યું કે, આર્ટિકલ 370 રદ કરવાના ભારતના નિર્ણયને પાકિસ્તાન પચાવવામાં અસમર્થ છે. પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રમાં ગયું અને તેમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો.
#WATCH Defence Minister Rajnath Singh: India was divided into two parts on the basis of religion- India & Pakistan were formed. Pakistan was again partitioned in 1971. If this politics continues, no power can stop Pakistan from being broken into pieces. pic.twitter.com/EsnNnYaq6d
— ANI (@ANI) September 14, 2019
રાજનાથસિંહે સરહદની સુરક્ષા કરતી વખતે માર્યા ગયેલા 122 સૈનિકોની યાદમાં રાખવામાં આવેલા કાર્યક્રમમાં કહ્યું કે, જો પાકિસ્તાન તરફથી કોઈ ઘુસણખોરી કરવામાં આવે છે, તો આપણી સૈન્ય પણ તેના માટે તૈયાર છે. કોઈપણ ઘુસણખોર ભારતમાંથી જીવતો પાછો નહીં જાય.
તેમણે કહ્યું કે, પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને પોતાના લોકોને યોગ્ય સલાહ આપી છે કે, તેઓએ નિયંત્રણ રેખા પાર ન કરવી જોઈએ કારણ કે આપણું સૈન્ય તૈયાર છે. જો તેઓ સરહદ પાર કરીને અહીં આવે, તો તેઓ પાછા જઇ શકશે નહીં. ઇમરાન ખાને શુક્રવારે મુઝફ્ફરાબાદમાં સંબોધન કરતાં કહ્યું કે તેમણે પાકિસ્તાની લોકોને વિનંતી કરી છે કે જ્યાં સુધી તે ન કહે ત્યાં સુધી એલઓસી તરફ પ્રયાણ ન કરે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
