પ્રસિદ્ધ ટીવી સીરીયલ રામાયણના પાત્રો વારાફરતી ભાજપમાં જોડાઈ રહ્યા છે. રામાયણમાં કૃષ્ણ’, ‘દ્રૌપદી’ અને ‘રાવણ’ની ભૂમિકા ભજવતા પાત્રો બાદ હવે ભગવાન રામનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલ ભાજપમાં જોડાયા છે.
લોકપ્રિય ટેલિવિઝન સીરીયલ રામાયણમાં ભગવાન રામની ભૂમિકા ભજવનારા અરુણ ગોવિલે હવે રાજકારણમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. તેઓ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. અરુણ ગોવિલ બંગાળની ચૂંટણીમાં ભાજપના પક્ષમાં પ્રચાર કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગોવિલ બંગાળમાં લગભગ 100 બેઠકો કરશે.
Actor Arun Govil, best known for playing lord Ram in Ramayan TV series, joins Bharatiya Janata Party (BJP) in Delhi. pic.twitter.com/ddEfyQGFS2
— ANI (@ANI) March 18, 2021
પશ્ચિમ બંગાળમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. અભિનેતા રહી ચુકેલા અરુણ ગોવિલ 90 ના દાયકામાં ટેલિવિઝન સીરિયલ રામાયણથી પ્રખ્યાત થયા હતા. 90 ના દાયકામાં પ્રસારિત થતી રામાનંદ સાગરની રામાયણ આજે પણ લોકોના માનસ પટ પર કાયમ છે. આ ધાર્મિક સિરિયલમાં અરુણ ગોવિલે ભગવાન રામનું પાત્ર ભજવ્યું હતું. અને અરુણ ગોવિલ ઘરે ઘરે જાણીતા બન્યા હતા.
અરુણ ગોવિલ કોણ છે?
ઉત્તર પ્રદેશના મેરઠમાં જન્મેલા અરૂણ ગોવિલ, જી.વી. એફ. મેરઠ યુનિવર્સિટીના શાહજહાંપુર કોલેજમાંથી એન્જિનિયરિંગ સાયન્સનો અભ્યાસ કર્યો છે. અભ્યાસ પછી જ, અરુણ ગોવિલે કેટલાક નાટકમાં ભાગ લીધો. અરૂણ ગોવિલના પિતા ચંદ્ર પ્રકાશ ગોવિલ સરકારી નોકરીમાં નોકરી કરતા હતા. અરુણ 6 ભાઇ-બહેનમાં ચોથા ક્રમે હતો. ખુદ અરુણ ગોવિલે કહ્યું હતું કે, ‘મેં રામ માટે ઓડિશન આપ્યું, પરંતુ નિર્માતાઓએ તેને નકારી દીધું. તે સમયે તેમને મારું કામ પસંદ ન હતું, પરંતુ પછીથી તે પોતે મારી પાસે આવીને મને આ ભૂમિકાની ઓફર કરી.
અરુણ ગોવિલ કહે છે, ‘ભગવાન રામની ભૂમિકા ભજવ્યા બાદ મને બોલિવૂડમાં કામ નોકરી મળી નથી. મને તેનો પસ્તાવો છે, પરંતુ મને સમજાયું કે વ્યાપારી ફિલ્મો કર્યા પછી મને રામાયણમાં ભગવાન રામની ભૂમિકા ભજવ્યા પછી મને મળેલું ખ્યાતિ, પ્રેમ અને ઓળખ મળી નથી. રામાયને મને 100 બોલિવૂડ ફિલ્મો આપી જે તે આપી શકતી નથી.
