Ahmedabad News/ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વસૂલવામાં આવતી ફી મુદ્દે અનધિકૃત બાંધકામમાં મકાનમાલિકોને રાહત!

અત્યાર સુધી, જ્યારે બોર્ડની સોસાયટીઓના સભ્યો ઘરનું દસ્તાવેજીકરણ કરવા અથવા પુનઃવિકાસ માટે પરવાનગી આપવા જતા હતા, ત્યારે ઘરની શ્રેણી અને વિસ્તારના

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad Property News: રાજ્ય ગૃહ નિર્માણ બોર્ડ (Gujarat State Housing Board)ના જૂના રહેણાંક એકમોના પુનર્વિકાસને ઝડપી બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ની સરકાર દ્વારા ઘણા મહત્વપૂર્ણ જાહેર હિતના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. અગાઉ, ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વસૂલવામાં આવતા અનધિકૃત બાંધકામ માટે ટ્રાન્સફર ફી, વહીવટી ફી અને ઉપયોગ શુલ્કની રકમમાં મકાનમાલિકોને રાહત આપવામાં આવતી હતી.

The Indian government is building homes that the poor do not want

હવે એક મોટો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે, વર્તમાનમાં શહેરની 250 થી વધુ સોસાયટીઓમાં પુનર્વિકાસનું કામ ચાલી રહ્યું છે. પછી, જો પુનર્વિકાસ યોજનામાં દસ્તાવેજો બાકી હોય, તો પણ ગેરકાયદેસર બાંધકામ ચાર્જ માફ કરવામાં આવશે. રાજ્યમાં 800 સોસાયટીઓમાં 2 લાખથી વધુ ઘરો છે, જેમાં અમદાવાદમાં 342 ઘરોનો સમાવેશ થાય છે. હાલમાં, ગુજરાત હાઉસિંગ બોર્ડની 42 સોસાયટીઓમાં પુનર્વિકાસની પ્રક્રિયા ચાલી રહી છે. જ્યારે 17 સોસાયટીઓ(Society)માં પુનઃવિકાસ (Re-Development) પ્રક્રિયા પૂર્ણ થવાની છે અને તોડી પાડવાનું કામ શરૂ થશે.

13 સોસાયટીઓમાં પુનઃવિકાસની નિર્ધારિત પ્રક્રિયા પૂર્ણ થતાં જ ડિમોલિશન (Demolition) પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જ્યારે 11 સોસાયટીઓમાં ટેન્ડર મંગાવવામાં આવ્યા છે, જે હજુ ખોલવાના બાકી છે. જે સોસાયટીઓમાં પુનર્વિકાસ યોજનામાં સોસાયટીના 75 ટકાથી વધુ લોકોની સંમતિ લેવામાં આવી હોય, જો આવી સોસાયટીઓમાં પુનર્વિકાસ માટે સંમતિ આપનારા ઘરમાલિકના દસ્તાવેજો બાકી હોય, તો ગેરકાયદેસર બાંધકામ માટે તેમની પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. હાલમાં બોર્ડની 250 થી વધુ સોસાયટીઓમાં પુનઃવિકાસનું કામ ચાલી રહ્યું છે, હાઉસિંગ કમિશનરની કચેરી દ્વારા મકાનમાલિક અથવા રહેઠાણ માલિકની તરફેણમાં લેવાયેલા નિર્ણયથી પુનઃવિકાસ પ્રક્રિયા ઝડપી બનશે.

Disturbed Areas Act in Gujarat: A Tool to Discriminate Against Muslims

અત્યાર સુધી, જ્યારે બોર્ડની સોસાયટીઓના સભ્યો ઘરનું દસ્તાવેજીકરણ કરવા અથવા પુનઃવિકાસ માટે પરવાનગી આપવા જતા હતા, ત્યારે ઘરની શ્રેણી અને વિસ્તારના આધારે ગેરકાયદેસર બાંધકામ માટે દંડ તરીકે 75 હજાર રૂપિયા સુધીની રકમ વસૂલવામાં આવતી હતી. જે હવે લેવામાં આવશે નહીં. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં જણાવાયું છે કે પુનર્વિકાસ પ્રક્રિયાના ભાગ રૂપે, જે સોસાયટીઓમાં સ્વીકૃતિ પત્ર (Letter of Appointment) જારી કર્યા પછી 75 ટકા સંમતિ પ્રાપ્ત થઈ છે, ત્યાં જૂના બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે, જે સોસાયટીઓને પુનર્વિકાસ માટે મંજૂરી આપવામાં આવી છે. જેથી જો આવી સોસાયટીઓમાં રહેતા લાભાર્થીઓ અથવા રહેઠાણદારો પાસે બાકી દસ્તાવેજો હોય અને તેમણે પુનઃવિકાસ માટે સંમતિ આપી હોય, તો આવા લોકો પાસેથી અનધિકૃત બાંધકામ અથવા ફરજિયાત ઉપયોગ ચાર્જની રકમ વસૂલવામાં આવશે નહીં.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાત હાઉસિંગ બોર્ડ 5 બિલ્ડરોને 200 કરોડ રૂપિયાની લહાણી : TDR મંજૂર કરતા ઊઠ્યા સવાલ

આ પણ વાંચો:ગુજરાત હાઉસિંગ બોર્ડ 100 ટકા પેનલ્ટી માફીની સમયમર્યાદા 7 જાન્યુઆરી, 2023 સુધી લંબાવી

આ પણ વાંચો:હાઉસિંગ બોર્ડમાં રહેતા લોકોને મળશે આગામી સમયમાં સારા સમાચાર