શિવસેનાના સાંસદ સંજય રાઉતની તબિયત લથડી છે. તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સંજય રાઉતની ગણતરી શિવસેનાના ટોચના નેતાઓમાં થાય છે. સંજય રાઉત મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા પછીથી ભાજપ પર ઘણા શાબ્દિક હુમલા કરી ચુક્યા છે. તેઓ સેનાના મુખપત્ર સામનાના કાર્યકારી સંપાદક પણ છે.
સંજય રાઉતે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ
સંજય રાઉતની તબિયત એવા સમયે બગડી છે કે જ્યારે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ શિવસેનાને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે. શિવસેનાના નેતાઓ સાંજે 6 વાગ્યે રાજ્યપાલને મળવા જશે. શિવસેના પાસે સાંજ 7.30 વાગ્યા સુધીમાં પોતાનો દાવો રજૂ કરવાનો સમય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.