Video/ સારા અલી ખાન કેમ પહોંચી હોસ્પિટલ? જાતે જ વીડિયો કર્યો શેર

વીડિયોમાં સારાને બોલવામાં મુશ્કેલી થઇ રહી છે. સારા વીડિયોમાં કહી રહી છે- “નમસ્તે દર્શકો! માફ કરો, હું એટલું સારી રીતે બોલી નથી શકતી.

Entertainment

બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન ફરી એકવાર ‘નમસ્તે દર્શકો’ સીરીઝ સાથે  પરત ફરી છે. આ વખતે સારા અલી ખાને હોસ્પિટલનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તે ડેન્ટિસ્ટ પાસે પહોંચી છે. આ સમય દરમિયાન, તેણે આ વીડિયો બનાવી તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. વીડિયોમાં સારા અલી ખાન પોતાના વિશે જણાવી રહી છે. ચાહકો વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. તે જ સમયે, કેટલાક ચાહકો છે જેઓ તેમના સ્વાસ્થ્ય વિશે પણ ચિંતા કરે છે.

આપને જણાવી દઈએ કે, વીડિયોમાં સારાને બોલવામાં મુશ્કેલી થઇ રહી છે. સારા વીડિયોમાં કહી રહી છે- “નમસ્તે દર્શકો! માફ કરો, હું એટલું સારી રીતે બોલી નથી શકતી. મને હસવું આવે છે. ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતાં સારાએ ડોક્ટરને ટેગ કર્યા અને તેના કેપ્શનમાં લખ્યું:” જ્ઞાની દાંત બાય બાય. “

આ પણ વાંચો : હરિયાણવી ડાન્સર અને સિંગર સપના ચૌધરી વિરુદ્ધ ફરિયાદ, જાણો શું છે મામલો

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) 

સારા અલી ખાન હંમેશાં તેની સ્ટાઇલ વિશે ચર્ચામાં રહે છે. તે જ સમયે સારાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ દિવસોમાં તે ‘અતરંગી રે’નું શૂટિંગ કરી રહી હતી. આ ફિલ્મમાં સારા અલી ખાન સાથે અક્ષય કુમાર અને ધનુષ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય તાજેતરમાં જ સારા ફિલ્મ ‘કુલી નંબર વન’માં પણ જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે અભિનેતા વરૂણ ધવન સાથે મુખ્ય ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચો : ટોની કક્કર અને હંસિકા મોટવાનીનું ન્યુ સોંગ ‘બૂટી શેક’ રિલીઝ, જુઓ અભિનેત્રીનું અદભૂત ટ્રાન્સફોર્મેશન

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) 

અભિનેત્રી તાજેતરમાં જ માલદીવથી વેકેશન માણીને પરત ફરી હતી. તે ભાઈ ઇબ્રાહિમ અલી ખાન અને માતા અમૃતા સિંહ સાથે વેકેશન પર ગઈ હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ