Junagadh News/ માંગરોળ તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જૂના મકાનોને નવા બતાવી વેચવાનું કૌભાંડ

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મોટાપાયે ભ્રષ્ટાચાર અને કૌભાંડ થયા હોવાના આક્ષેપ થતા તપાસ શરૂ કરવામાં આવી છે.મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક દરમિયાન સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે…..

Top Stories Gujarat Others Breaking News

Junagadh News: જૂનાગઢ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મોટાપાયે કૌભાડ થયા હોવાના આક્ષેપો થયા છે.વર્ષ 2024- 25 માં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને રૂપિયા 1.70 લાખની સહાય આપવામાં આવે છે જેનો લાભ લઇ જેને બીપીએલ કાર્ડ અંતર્ગત આવતા હોય તેવા લોકોને સહાય આપવામાં આવતી હોય છે પરંતુ માંગરોળ તાલુકાના મોટાભાગના ગામોમાં છેલ્લા બે વર્ષ દરમિયાન 700 થી વધારે આવાસ યોજના અંતર્ગત મકાનો બનાવવામાં આવ્યા છે જેમાં મોટાપાયે ગેર રીતે થઈ હોવાના આક્ષેપો થયા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા માંગરોળ તાલુકાના શેખપુર ગામની મુલાકાત લેવામાં આવી હતી જેમાં લાભાર્થીઓએ વર્ષ 2014 15 માં મકાન બનાવ્યા હતા તેને વર્ષ 2024 25 માં બતાવી દેવામાં આવ્યા છે. લાભાર્થી પાસે થી ગ્રામ સેવક તલાટી મંત્રી તાલુકા વિકાસ અધિકારી અને કોન્ટ્રાક્ટર દ્વારા સમગ્ર કૌભાંડ કર્યા હોવાના આક્ષેપો થયા છે.

માંગરોળ તાલુકાના બે વર્ષમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાનો માત્ર ચોપડા ઉપર નવા બનાવી દેવા મેસેજ પરંતુ લાભાર્થીઓ અને અમુક રકમ ચૂકવીને તેમની પાસેથી મોટાપાયે રકમ લઈને રૂપિયા એક કરોડથી વધુ રકમનો કૌભાંડ થયું હોવાની વાત સામે આવી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક દરમિયાન લાભાર્થીએ સ્વીકાર્યું કે વર્ષ 2014-15 માં તેઓએ મકાન બનાવવાની શરૂઆત કરી હતી અને 2018માં મકાનનું કામ પૂર્ણ થયું હતું અત્યાર સુધીમાં તેમને 1.10 લાખની સહાય મળી છે. તાજેતરમાં જ કેટલાક અધિકારીઓ આવ્યા હતા અને તેમના જૂના મકાન પાસે ઊભા રાખીને ફોટોગ્રાફ્સ લઇ રહ્યા હતા એવું પણ તેમણે જણાવ્યું હતું.

આ સમગ્ર પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત થયેલા કૌભાંડને લઈને માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગઠીયાને ફરિયાદ મળતા તેમણે મુખ્યમંત્રી ને તપાસ માટેની રજૂઆત કરી હતી અને ભાજપના ધારાસભ્ય હોવાથી સરકાર ખોટી રીતે બદનામ થઈ રહી છે તેને અટકાવવા માટે રજૂઆત કરી હતી.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આ વિભાગ તેમની પાસે આવતો હોવાથી તેમણે પણ તપાસના આદેશ આપ્યા છે અને જુનાગઢ નાયબ જિલ્લા વિકાસ અધિકારી આ અંગે તપાસ શરૂ કરી છે.

સરકાર દ્વારા કરોડો રૂપિયા ની સહાય બીપીએલ કાર્ડ ધારકોને આપવામાં આવતી હોય છે પરંતુ છેવાડાના માનવી સુધી આ સહાયની રકમ પહોંચતી નથી અને તેનો લાભ અધિકારીઓ લઈ જતા હોય છે ત્યારે માંગરોળના ધારાસભ્ય દ્વારા સમગ્ર ખુલ્લું પાડવામાં આવ્યું છે અને સરકારની બદનામી થતી અટકાવવામાં આવી છે..

@હાર્દિક વાણીયા 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પ્રધાનમંત્રી આવાસ યોજનામાં યોગ્યતા હોવા લાભ ન મળ્યો? ગભરાયા વિના કરી લો આ એક કામ

આ પણ વાંચો:પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણમાં દેશમાં અગ્રેસર ગુજરાતના પરફોર્મન્સને કેન્દ્ર સરકારની પણ મહોર

આ પણ વાંચો:પ્રધાનમંત્રી આવાસ યોજનાના નકલી ફોર્મના નામે છેતરપિંડીનું કૌભાંડ, છેતરપિંડી કરનાર શખ્સ ઝડપાયો