તુર્કી દ્વારા અફઘાન શાંતિ મંત્રણામાં વિલંબની જાહેરાતના કલાકો પહેલાં અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આત્મઘાતી હુમલો થયો હતો, જેમાં ચાર લોકો ઘાયલ થયા હતા.
નોંધનીય છે કે આ સૂચિત સંવાદથી, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તમામ પક્ષો શાંતિ કરાર અને બે દાયકા લાંબા યુદ્ધના અંત સુધી પહોંચશે.
તુર્કીએ પવિત્ર રમજાન અને ઇદ સુધી વાટાઘાટો મુલતવી રાખવાની ઘોષણા કરી છે.
સરકારે કહ્યું કે આત્મઘાતી બોમ્બરે અફઘાન સુરક્ષા દળોના કાફલાને નિશાન બનાવ્યો હતો.
આંતરિક સુરક્ષા મંત્રાલયે કહ્યું કે ઘાયલોમાં સુરક્ષા કર્મચારી અને નાગરિકો બંનેનો સમાવેશ છે. જોકે, કોઈએ પણ આ હુમલાની તાત્કાલિક જવાબદારી લીધી નથી.