Rajkot News/ સિનર્જી હોસ્પિટલના એનેસ્થેસિયોલોજિસ્ટનો આપઘાત, દવાનો ઓવરડોઝ લઈ ભર્યું અંતિમ પગલું

રાજકોટમાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. રાજકોટની સિનર્જી હોસ્પિટલના એનેસ્થેસિયોલોજિસ્ટ જય પટેલે આપઘાત કર્યું છે.

Top Stories Gujarat Rajkot Breaking News

Rajkot News : રાજકોટ શહેરમાં વધુ એક આઘાતજનક ઘટનામાં સિનર્જી હોસ્પિટલના એનેસ્થેસિયોલોજિસ્ટ ડૉ. જય પટેલે દવાનો ઓવરડોઝ લઈ આપઘાત કર્યો છે. કાલાવડ રોડ પર સ્પીડવેલ ચોક નજીક આવેલા તેમના નિવાસસ્થાને આ દુર્ઘટના બની છે.

પ્રાથમિક તપાસમાં ઘરકંકાસને આપઘાતનું કારણ જણાવાયું છે. ડૉ. પટેલે આઘાતમાં આ પગલું ભર્યું હોવાનું માનવામાં આવે છે. ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટનાએ આરોગ્ય ક્ષેત્રમાં અને સમગ્ર શહેરમાં શોકનું મોજું ફેલાવ્યું છે. ડૉ. જય પટેલના અચાનક અંતકાળે તેમના પરિવાર, મિત્રો અને સહકર્મચારીઓને ગંભીર આઘાત લાગ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટમાં મિત્રોએ ઉછીના લીધેલા એક કરોડ પરત ન કરતા યુવકનો આપઘાત

આ પણ વાંચો: દીપિકા પટેલ આપઘાત કેસમાં મોટો વળાંક : જેને બહેન કહેતો હતો તેની સાથે ચિરાગના હજારો ફોટા મળ્યા

આ પણ વાંચો: પત્નીના ત્રાસથી કરી પતિએ આત્મહત્યા, આપઘાત પૂર્વે મિત્રને મોકલ્યું ઓડિયો રેકોર્ડિંગ