એક ન્યૂઝ એજન્સીએ તાલિબાનના સૂત્રોને ટાંકીને કહ્યું કે તાલિબાનોએ વિપક્ષી દળોના કબજા હેઠળની પંજશીર ખીણ સહિત અફઘાનિસ્તાનનો સંપૂર્ણ કબજો લઇ લીધો છે. જોકે અમરૂલ્લાહ સાલેહે તાલિબાનના દાવાને ફગાવી દીધો હતો. અફઘાનિસ્તાન છોડવાના અહેવાલો વચ્ચે, સાલેહે કહ્યું કે તે હજી પણ પંજશીરમાં છે અને તાલિબાન સામે ઝૂકશે નહીં. અમરૂલ્લાહ સાલેહના પુત્ર ઇબાદુલ્લાહ સાલેહે પણ તાલિબાન દ્વારા પંજશીર કબજે કર્યા હોવાના અહેવાલોને ખોટા ગણાવ્યા હતા. તેમણે એક સંદેશમાં કહ્યું, ‘ના, આ સમાચાર ખોટા છે.’
આ પણ વાંચો :PM મોદીએ અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, વિશ્વમાં આતંકવાદ અને ઉગ્રવાદ માટે…
મીડિયા રિપોર્ટ મુજબ તાલિબાન કહે છે કે અમરૂલ્લાહ સાલેહ પંજશીર ખીણના કેટલાક કમાન્ડરો સાથે ભાગી ગયો હતો પરંતુ સાલેહનું કહેવું છે કે તે પંજશીરમાં રહીને તાલિબાન સત્તાનો વિરોધ કરી રહ્યા છે. પંજશીર તાલિબાનીઓ માટે પહેલાની જેમ કબ્રસ્તાન સાબિત થશે. આપને જણાવી દઈએ કે જ્યારે તાલિબાને 1996 માં સત્તા કબજે કરી હતી, તે સમયે પણ પંજશીર ખીણ તેમના નિયંત્રણની બહાર હતી.
"Taliban forces have taken full control of Afghanistan including the Panjshir valley where opposition forces had been holding out," Reuters quoted Taliban sources as saying pic.twitter.com/EVWI6H0fhW
— ANI (@ANI) September 3, 2021
અફઘાનિસ્તાનમાં આજે સરકાર બનશે – તાલિબાન પ્રવક્તા
તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે કહ્યું કે અફઘાનિસ્તાનમાં નવી સરકારની રચના એક દિવસ માટે મોકૂફ રાખવામાં આવી છે. મુજાહિદે કહ્યું કે નવી સરકારની રચનાની જાહેરાત હવે 4 સપ્ટેમ્બર શનિવારે કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે કતારની રાજધાની દોહામાં તાલિબાનની રાજકીય કાર્યાલયના અધ્યક્ષ મુલ્લા અબ્દુલ ગની બરાદાર તાલિબાન સરકારના વડા બની શકે છે. તાલિબાનના એક વરિષ્ઠ સભ્યએ જણાવ્યું હતું કે, જૂથ ઇરાની નેતૃત્વની તર્જ પર કાબુલમાં સરકારની રચનાની જાહેરાત કરવા માટે તૈયાર છે, જૂથના ટોચના ધાર્મિક નેતા મુલ્લા હેબતુલ્લા અખુનઝાદા અફઘાનિસ્તાનમાં સર્વોચ્ચ સત્તા તરીકે છે. અફઘાનિસ્તાન પર તાલિબાનોનો કબજો થયાને બે અઠવાડિયાથી વધુ સમય થઈ ગયો છે.
આ પણ વાંચો :DCGI એ રિલાયન્સ લાઈફ સાયન્સીસની કોવિડ -19 રસીના પ્રથમ તબક્કાના ટ્રાયલને આપી મંજૂરી
તાલિબાનના માહિતી અને સાંસ્કૃતિક આયોગના વરિષ્ઠ અધિકારી મુફ્તી ઇનામુલ્લાહ સામંગાનીએ જણાવ્યું હતું કે: “નવી સરકાર પર પરામર્શ લગભગ પૂર્ણ થઇ ચૂક્યો છે અને કેબિનેટ પર જરૂરી ચર્ચાઓ પણ થઇ છે. ઈરાનમાં, સર્વોચ્ચ નેતા દેશની સર્વોચ્ચ રાજકીય અને ધાર્મિક સત્તા છે. તેઓ રાષ્ટ્રપતિ કરતાં ઉંચો દરજ્જો ધરાવે છે અને સૈન્ય, સરકાર અને ન્યાયતંત્રના વડાઓની નિમણૂક કરે છે. દેશના રાજકીય, ધાર્મિક અને લશ્કરી બાબતોમાં સર્વોચ્ચ નેતાનો નિર્ણય અંતિમ છે.
The RESISTANCE is continuing and will continue. I am here with my soil, for my soil & defending its dignity. https://t.co/FaKmUGB1mq
— Amrullah Saleh (@AmrullahSaleh2) September 3, 2021
આ પણ વાંચો :પંજાબમાં ક્રોંગ્રેસના આંતરિક વિખવાદના કારણે APPને ફાયદો
“મુલ્લા અખુનઝાદા સરકારના નેતા હશે અને તેના પર કોઈ પ્રશ્ન ન હોવો જોઈએ,” તેમણે કહ્યું. તેમણે સંકેત આપ્યો કે રાષ્ટ્રપતિ તેમની દેખરેખ હેઠળ કામ કરશે. મુલ્લા અખુનઝાદા તાલિબાનના ટોચના ધાર્મિક નેતા છે અને 15 વર્ષથી બલુચિસ્તાન પ્રાંતના કાચલાક વિસ્તારમાં એક મસ્જિદમાં કામ કરી રહ્યા છે. સામંગણીએ જણાવ્યું હતું કે નવા સરકારી માળખા હેઠળ પ્રાંતોનું નેતૃત્વ રાજ્યપાલો કરશે, જ્યારે જિલ્લા ગવર્નરો તેમના સંબંધિત જિલ્લાઓ માટે જવાબદાર રહેશે. તાલિબાન પહેલેથી જ પ્રાંતો અને જિલ્લાઓ માટે રાજ્યપાલ, પોલીસ વડાઓ અને પોલીસ કમાન્ડરોની નિમણૂક કરી ચૂક્યું છે. તેમણે કહ્યું કે, નવા શાસનનું નામ, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીત હજુ નક્કી થવાના બાકી છે.
આ પણ વાંચો : Biological Eને એડવાન્સ સ્ટેઝ ટ્રાયલની મંજૂરી અપાઈ
આ પણ વાંચો :મહિનાના પહેલા દિવસે મોંઘવારીનો આંચકો, ગેસના ભાવ ફરી વધ્યા!
આ પણ વાંચો :ISISના આતંકવાદીએ સુપરમાર્કેટમાં લોકોને નિર્મમ રીતે છરાના ઘા ઝીક્યાં
