પૂંચ-જમ્મુ હાઈવે પર ગુરુવારે (20 એપ્રિલ) સેનાના એક વાહનમાં આગ લાગી હતી. સેનાએ તેને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. પીઆરઓ ડિફેન્સ જમ્મુએ જણાવ્યું કે પૂંચ જિલ્લામાં આર્મી ટ્રકમાં આગ લાગવાથી સેનાના પાંચ જવાનોના મોત થયા છે. આ ઘટના ભાટા ધુરિયન વિસ્તારમાં હાઈવે પર બની હતી. આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ રક્ષા મંત્રી રાજનાથને આ ઘટના અંગે જાણકારી આપી છે.
સેનાએ કહ્યું, “અજ્ઞાત આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના રાજૌરી સેક્ટરમાં ભીમ્બર ગલી અને પૂંછની વચ્ચે ચાલી રહેલા સેનાના વાહન પર ગોળીબાર કર્યો. આતંકવાદીઓ દ્વારા સંભવિત ગ્રેનેડ હુમલાના કારણે વાહનમાં આગ લાગી હતી.
સેનાએ કહ્યું, “આ વિસ્તારમાં આતંકવાદ વિરોધી કાર્યવાહી માટે તૈનાત રાષ્ટ્રીય રાઈફલ્સ યુનિટના જવાનોએ આ ઘટનામાં જીવ ગુમાવ્યો.” અન્ય ગંભીર રીતે ઘાયલ સૈનિકને તાત્કાલિક રાજૌરીની આર્મી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને તેની સારવાર ચાલી રહી છે. સર્ચ ઓપરેશન ચાલુ છે. સેનાના વરિષ્ઠ અધિકારીઓ તપાસ માટે સ્થળ પર છે. જ્યાં આ ઘટના બની તે પહાડી વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે.
Anguished by the tragedy in Poonch District (J&K), where the Indian Army has lost its brave soldiers after a truck caught fire. In this tragic hour, my thoughts are with the bereaved families.
— Rajnath Singh (@rajnathsingh) April 20, 2023
કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે પૂંચ જિલ્લામાં થયેલા હુમલા પર શોક વ્યક્ત કર્યો છે. તેણે ટ્વિટ કરીને કહ્યું કે તે આ દુર્ઘટનાથી દુખી છે. જ્યાં ટ્રકમાં આગ લાગવાથી ભારતીય સેનાએ પોતાના બહાદુર જવાનો ગુમાવ્યા છે. આ દુઃખદ ઘડીમાં મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે.