Breaking News/ રાજ્યમાં ટેકાના ભાવે ખરીદી અંગે સૌથી મોટા સમાચાર

કમોસમી વરસાદના પગલે ખરીદી સ્થગિત કરાઈ હતી. જેને લઈને જણસીઓની ટેકાના ભાવે ખરીદી કરવાનો આખરે નિર્ણય લેવાયો છે. જેમાં મગફળી, સોયાબીન, મગ, અડદની કરાશે ટેકાના ભાવે ખરીદી કરાશે.

Top Stories Gujarat Breaking News

ગુજરાતમાં અગામી 9 નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી ફરી શરુ કરાશે .જેને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ટ્વીટ દ્વારા કરી સત્તાવાર જાહેરાત કરી છે.તાજેતરના પૂરને કારણે ગુજરાતના ખેડૂતોને ભારે નુકસાન થયું છે. પૂરે ખેતીને તબાહ કરી દીધી છે. કમોસમી વરસાદથી મગફળી, કપાસ અને સોયાબીન જેવા પાકોને નોંધપાત્ર નુકસાન થયું છે. રાજ્ય સરકારે અગાઉ લઘુત્તમ ટેકાના ભાવ પર ખરીદીની જાહેરાત કરી હોવા છતાં, ખરીદી પ્રક્રિયા પૂર્ણ થઈ ન હતી. તેથી, સરકારે હવે ફરીથી MSP પર ખરીદીની જાહેરાત કરી છે.

કમોસમી વરસાદના પગલે સ્થગિત કરાઈ હતી ખરીદી

કમોસમી વરસાદની અણધારી આફતને કારણે રાજ્યના ઘણા ખેડૂતોના ઉભા પાકનો નાશ થયો છે. સરકાર ખેડૂતોની સાથે ઉભી છે અને તેમને નાણાકીય સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. સરકારે રાજ્યના ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે પરિપક્વ મગફળી, સોયાબીન, મગ અને અડદની દાળ ખરીદવાનો નિર્ણય લીધો છે. આ ખરીદી 9 નવેમ્બરથી શરૂ થશે.

સરકાર ખેડૂતોની હિંમત બનીને આર્થિક સહાય માટે પ્રતિબદ્ધ

કુદરતી આફતની આ સ્થિતિમાં, સરકાર ખેડૂત પરિવારોની આર્થિક સ્થિતિ અંગે ચિંતિત છે અને વહીવટીતંત્ર અસરગ્રસ્ત પરિવારોને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે સંપૂર્ણ તૈયારી સાથે કામ કરી રહ્યું છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદથી થયેલા પાકને થયેલા નુકસાન અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરમાં મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં પાક નુકસાન સર્વેક્ષણ ઝડપથી પૂર્ણ કરવા અને રાહત પેકેજની જાહેરાત કરવાની જરૂરિયાત પર ચર્ચા કરવામાં આવી હતી. ખેડૂતો માટે રાહત પેકેજ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવે તેવી અપેક્ષા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:માવઠાને પગલે ખેડૂતો માટે 7 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર થઇ શકે:ગાંધીનગરમાં સવારથી બેઠકોનો ધમધમાટ

આ પણ વાંચો:પોતાની માતાની પુણ્યતિથિ પર આ વ્યક્તિએ ગામના ખેડૂતોનું દેવું શૂન્ય કર્યું

આ પણ વાંચો:ખેડૂતોને મળશે રાહત પેકેજ, સાંજ સુધીમાં જાહેર થશે સર્વે રિપોર્ટ