TRP Gaming zone/ રાજકોટમાં મૃતકોના DNA ફોરેન્સિક તપાસ માટે મોકલાયા

રાજકોટમાં ગઈકાલ સાંજ કાળમુખી બની રહી. ટીઆરપી ગેમ ઝોનમાં………..

Top Stories Gandhinagar Gujarat Rajkot Breaking News

Rajkot News: રાજકોટમાં ગઈકાલ સાંજ કાળમુખી બની રહી. ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગથી મૃત્યુઆંક સતત વધતો જઈ રહેવાની આશંકા છે. મોતને ભેટેલા કેટલાંય લોકોની હજુ સુધી ઓળખ થવા પામી નથી. પરિણામે તેમના DNA (ડીએનએ) સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યા છે.

મળતા અહેવાલો અનુસાર રાજકોટમાં ઘટનાસ્થળેથી 25 DNA સેમ્પલ ગાંધીનગર મોકલાયા છે. સવારે 4.30 વાગ્યે એરએમ્બ્યુલન્સ મારફતે DNA લાવવામાં આવ્યા છે. ફોરેન્સિક તપાસ શરૂ થયાના 48 કલાક બાદ DNAના રિપોર્ટ આવશે.

વિદેશથી આવેલા વ્યક્તિના કોઈ સગાં આવ્યા નથી. FSL રિપોર્ટ આવ્યા બાદ 25 મૃતદેહોની ઓળખ થઈ શકશે. પોલીસ અને કલેક્ટરની ટીમ સતત કાર્યરત છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ મામલે SITની રચના, CM ભુપેન્દ્ર પટેલ ઘટના સ્થળે પહોંચ્યા

આ પણ વાંચો: હૈયાફાટ રૂદનથી કંપી ઉઠી રાજકોટ સિવિલ હોસ્પિટલ

આ પણ વાંચો: રાજકોટ TRP ઝોન મામલે થયાં મોટા ખુલાસા