Kedarnath Yatra 2023/ એપ્રિલમાં આ દિવસે ખુલશે કેદારનાથ ધામના કપાટ, જાણો ક્યારે કરી શકશે બાબાના ભક્તો દર્શન

કેદારનાથ મંદિર સાથે જોડાયેલી ઘણી માન્યતાઓ પ્રચલિત છે. આ સિવાય કેદારનાથ ધામ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે.

Top Stories Religious Dharma & Bhakti
કેદારનાથ

કેદારનાથ જવાનું દરેક વ્યક્તિનું મોટું સપનું હોય છે. બાબા ભોલેનાથના ભક્તો કેદારનાથ ધામના કપાટ ખુલવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વાસ્તવમાં કેદારનાથ મંદિર સાથે જોડાયેલી ઘણી માન્યતાઓ પ્રચલિત છે. આ સિવાય કેદારનાથ ધામ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. આવી સ્થિતિમાં દરેક ભક્તની ઈચ્છા હોય છે કે જીવનમાં એક વખત તે બાબા કેદારના દરબારમાં માથું નમાવા જાય. આ મંદિરમાં આવનાર તમામ ભક્તોની મનોકામના મહાદેવ ચોક્કસપણે પૂરી કરે છે. તો ચાલો જાણીએ કેદારનાથ યાત્રા 2023 સંબંધિત તમામ માહિતી વિશે.

કેદારનાથ મંદિરના ક્યારે ખુલશે કપાટ

હવે કેદારનાથ ધામ જવા માટે ભક્તોને વધુ રાહ જોવી પડશે નહીં, કારણ કે મંદિરના કપાટ ટૂંક સમયમાં જ ખુલવાના છે. આપને જણાવી દઈએ કે આ વર્ષે શ્રી કેદારનાથ મંદિરના કપાટ 25 એપ્રિલ 2023ના રોજ ખુલશે. મળતી માહિતી મુજબ આ દિવસે સવારે 6.20 કલાકે ભક્તો બાબા કેદારના દર્શન કરી શકશે. ભક્તો 25 એપ્રિલથી આગામી 6 મહિના સુધી કેદારનાથ ધામના દર્શન કરી શકશે.

કેદારનાથ મંદિરની ધાર્મિક પરંપરાઓ

કેદારનાથ મંદિરના કપાટ ખોલતા પહેલા ઘણી પરંપરાઓનું પાલન કરવામાં આવે છે. કપાટ ખોલતા પહેલા બાબા ભૈરવનાથની પૂજા કરવામાં આવે છે, જે આ વખતે 20 એપ્રિલ 2023ના રોજ કરવામાં આવશે. આ પછી કેદારનાથની પંચમુખી ડોળીને 21 એપ્રિલે ઉખીમઠથી કેદારનાથ ધામ સુધી લઈ જવામાં આવશે. ત્યાર બાદ પગપાળા ડોળી યાત્રા 24 એપ્રિલે કેદાર ધામ પહોંચશે. આ પછી જ કેદારનાથ મંડિક કપાટ બીજા દિવસે ધાર્મિક વિધિઓ સાથે ભક્તો માટે ખોલવામાં આવશે.

આ પણ વાંચો:ટ્રાફિક સંચાલનઃ સુરત પોલીસના હકારાત્મક અભિગમથી લોકોમાં સાનંદાશ્ચર્ય

આ પણ વાંચો:જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા નીકળેલા પરીક્ષાર્થીઓને નડ્યો અકસ્માત

આ પણ વાંચો:સુરતમાંથી ઝડપાયું સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ, બે લોકોની કરાઈ અટકાયત

આ પણ વાંચો:ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગો અને આનુષાન્ગિક ઉદ્યોગોની E- ડિરેક્ટરીનું મુખ્યમંત્રીશ્રીએ કર્યું લોન્ચિંગ

આ પણ વાંચો:હિંદુવાદી નેતા કાજલ હિન્દુસ્તાનીની પોલીસે કરી ધરપકડ, જાણો શુ લાગ્યો આરોપ