PM Modi’s Food: સંસદમાં નેતાઓને સરકાર દ્વારા ઘણી સુવિધાઓ આપવામાં આવે છે. પરંતુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળતી તમામ સુવિધાઓ સરકારી બજેટમાંથી ખર્ચવામાં આવતી નથી. સરકારના બજેટમાંથી વડાપ્રધાનના ભોજન પર એક રૂપિયો પણ ખર્ચવામાં આવતો નથી. ભોજનનો ખર્ચ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે ઉઠાવે છે. RTI દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્ન પર વડાપ્રધાન કાર્યાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે. વડાપ્રધાન કાર્યાલય (PMO)માં કેન્દ્રીય અન્ડર સેક્રેટરી બિનોદ બિહારી સિંહે એક RTIનો જવાબ આપ્યો છે કે સરકારી બજેટમાંથી PMના ભોજન પર એક પણ રૂપિયો ખર્ચવામાં આવતો નથી. આ સાથે પ્રધાનમંત્રી આવાસ કેન્દ્રીય જાહેર બાંધકામ વિભાગ દ્વારા સુરક્ષિત છે. જ્યારે વાહનોની જવાબદારી SPGની છે. RTIમાં પગાર સંબંધિત માહિતી પણ માંગવામાં આવી છે.
PMએ પોતે સંસદ ભવન કેન્ટીનમાં પૈસા આપ્યા
2014માં લોકસભા ચૂંટણી જીત્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં પ્રવેશ કર્યો હતો. આ પછી 2 માર્ચ 2015 ના રોજ બજેટ સત્ર દરમિયાન તેમણે સંસદ ભવનના પહેલા માળે આવેલી કેન્ટીનમાં પહોંચીને બધાને ચોંકાવી દીધા હતા. આવું પહેલીવાર બન્યું હતું કે જ્યારે કોઈ વડાપ્રધાન સંસદની કેન્ટીનમાં પહોંચ્યા અને લંચ લીધું. આ દરમિયાન પીએમએ પોતે શાકાહારી ભોજનની એક પ્લેટ માટે 29 રૂપિયા ચૂકવ્યા હતા. જો કે, હવે સંસદ ભવન કેન્ટીનમાં શાકાહારી થાળીની કિંમત 100 રૂપિયા છે.
આ પણ વાંચો: patna / તેલંગાણાના સીએમ કેસીઆર નીતિશ કુમાર અને તેજસ્વી યાદવને મળ્યા, 2024 પર ચર્ચા થઈ?
આ પણ વાંચો: drugs scandal / પંજાબના લુધિયાણામાં 38 કિલો હેરોઈન ભરેલી ટ્રક ઝડપાઈ, મામલો કચ્છ સુધી પહોંચ્યો
આ પણ વાંચો: Cricket / ઋષભ પંતના સવાલ પર રવિન્દ્ર જાડેજાએ આપ્યો કોમેડી જવાબ, વીડિયો થયો વાયરલ
