કરદાતાઓ અને વિવિધ ટેકસ એસોસિએશને રિટર્ન ફાઇલ કરવાની મુદતમાં વધારો કરવા માટે કેન્દ્રીય નાણામંત્રીને રજૂઆત કરી હતી. તે ધ્યાને લેવાઈ ન હતી વર્ષ 2021-22 માટે આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ. 31 જુલાઇ છે. ડિપાર્ટમેન્ટે રિટર્ન ભરવા માટે કરદાતાને એસએમએસ અને ઈમેઈલથી રિમાઈન્ડર મોકલ્યા છે. રિટર્નની મુદત ન વધતાં શનિવારે 44 લાખથી વધુ કરદાતાએ રિટર્ન ફાઈલ કર્યું હતું. મુદત ન વધતાં ટેક્સ કન્સલ્ટન્ટને ત્યાં કરદાતાની ભારે ભીડ હતી. રવિવારે રજા હોવા છતાં ઈન્કમટેક્સ ઓફિસ ચાલુ રહેશે.
ઇન્કમટેક્સની સાઇટ ધીમી ચાલતી હોવાથી તેમજ ઓટીપી ન મળવાના કેસમાં કરદાતાઓને ટેક્સ કન્સલ્ટન્ટને ત્યાં રિટર્ન ફાઈલ કરવા દોડવું પડ્યું હતું. કોઇ કરદાતાઓને રિટર્ન ફાઇલ કરવામાં મુશ્કેલી પડે તો તેમણે [email protected] પર મેઇલ કરીને મદદ લઇ શકે છે.
