સપાના અધ્યક્ષ અખિલેશ યાદવે દેશની અર્થવ્યવસ્થાને લઈને કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે, અર્થતંત્ર એક બહુ મોટા સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. ડિમોનેટાઇઝેશન અને જીએસટીના કારણે વેપાર ધંધામાં બહુ મોટું નુકશાન ગયું છે.
આને કારણે નાના અને ઘરેલું ઉદ્યોગો બંધ થઈ ગયા છે, હવે દેશનો ઓટો મોબાઈલ સેક્ટર પણ મરણ પથારીએ આવી ને ઊભું છે. વિદેશી વિનિમય ભંડોળમાં 72.7 મિલિયનનો ઘટાડો થયો છે.
ભારતનું અર્થતંત્ર સાતમા સ્થાને આવી ગયું છે. વર્ષ 1964માં પણ ભારત આ સ્થાન પર જ હતું. છેલ્લા છ વર્ષમાં લગભગ 3.7 કરોડ કામદારોએ કૃષિ કાર્ય છોડી દીધા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.