તમિલનાડુના એક કપલે પોતાના લગ્નને ખૂબ જ ખાસ બનાવવા માટે એક અનોખી રીત શોધી કાઢી છે. આ કપલ એ રીતે લગ્ન કરવા જઈ રહ્યું છે જે આ પહેલા ભારતમાં ભાગ્યે જ કોઈએ કર્યું હશે. વાસ્તવમાં, તમિલનાડુનું આ કપલ મેટાવર્સમાં વેડિંગ રિસેપ્શન હોસ્ટ કરશે. દિનેશ એસપી અને જનગાનંદીની તેમના મેટાવર્સ રિસેપ્શન માટે ડિજિટલ અવતાર પસંદ કરશે. દિનેશે ટ્વિટર પર એક નાનો વીડિયો શેર કર્યો છે. આમાં તેમના લગ્નનું રિસેપ્શન કેવું હશે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેણે કહ્યું કે, આ ભારતનું પ્રથમ મેટાવર્સ લગ્ન હશે.
આ પણ વાંચો :પંજાબમાં ચૂંટણીની તારીખ બદલાઈ, હવે આ દિવસે થશે મતદાન, જાણો શું છે કારણ
એક અહેવાલ અનુસાર, તમિલનાડુનું કપલ મેટાવર્સમાં તેમના લગ્નનું રિસેપ્શન હોસ્ટ કરવા માટે તૈયાર છે. દિનેશ એસપી અને જનગાનંદીની રામાસ્વામી ફેબ્રુઆરીમાં તમિલનાડુના શિવલિંગપુરમ ગામમાં લગ્ન કરશે. તેમનું રિસેપ્શન ડિજિટલ રીતે કરવામાં આવશે. લગ્ન સમારોહ પછી, યુગલ તેમના હોગવર્ટ્સ-થીમ આધારિત રિસેપ્શન માટે વર્ચ્યુઅલ સ્થળમાં પ્રવેશવા માટે તેમના લેપટોપ પર ઓનલાઈન હશે અને વિશ્વભરના તેમના મિત્રો અને પરિવારના સભ્યો સાથે જોડાશે, ટાઈમ્સ ઑફ ઈન્ડિયા અહેવાલ આપે છે.
મેટાવર્સ એ વર્ચ્યુઅલ રિયાલિટી વર્લ્ડ છે જ્યાં યુઝર્સ ‘લાઇવ’ રહી શકે છે અને ડિજિટલ અવતાર દ્વારા અન્ય લોકો સાથે વાર્તાલાપ કરી શકે છે. આ ઓગમેન્ટેડ રિયાલિટી ટેક્નોલોજીના ઘણા ઘટકો જેમ કે બ્લોકચેન અને વર્ચ્યુઅલ રિયાલિટીને જોડે છે.
આ પણ વાંચો :પંજાબમાં AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર કોણ હશે? આવતીકાલે કરવામાં આવશે જાહેરાત
IIT મદ્રાસના પ્રોજેક્ટ એસોસિયેટ દિનેશએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, મને મેટાવર્સ વેડિંગ રિસેપ્શનનો આઈડિયા આવ્યો અને મારા મંગેતરને પણ આ આઈડિયા ગમ્યો. “હું ક્રિપ્ટો અને બ્લોકચેન ટેક્નોલોજી સાથે સંકળાયેલો છું અને છેલ્લા એક વર્ષથી તેના પર કામ કરી રહ્યો છું. બ્લોકચેન એ મેટાવર્સની મૂળભૂત ટેકનોલોજી હોવાથી જ્યારે મારા લગ્ન નક્કી થયા ત્યારે મેં મેટાવર્સમાં રિસેપ્શન રાખવાનું વિચાર્યું.
અહેવાલો અનુસાર, તેમના લગ્નનું રિસેપ્શન હેરી પોટર બ્રહ્માંડથી પ્રેરિત હશે. દુલ્હા–દુલ્હન પરંપરાગત કપડાં પહેરેલા અવતાર હશે, જ્યારે મહેમાનોને લૉગિન વિગતો આપવામાં આવશે જ્યાં તેઓ અવતાર પસંદ કરી શકે અને રિસેપ્શનમાં પ્રવેશી શકે. તેઓ એક કલાકના રિસેપ્શન દરમિયાન અન્ય મહેમાનો સાથે વાતચીત કરી શકશે.
આ પણ વાંચો :PM મોદીની સુરક્ષામાં રહેલી ક્ષતિની તપાસ કરી રહેલા ઇન્દુ મલ્હોત્રાને મળી ધમકી
આ પણ વાંચો :પંડિત બિરજુ મહારાજનું નિધન એક યુગનો અંત: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ
આ પણ વાંચો : ભાજપમાંથી હાંકી કાઢ્યા બાદ છલકાયા હરક સિંહ રાવતના આંસુ, કહ્યું- હવે હું કોંગ્રેસ…