નાણામંત્રી નિર્મલા સીતારમણ પહેલી ફેબ્રુઆરીએ સંસદમાં બજેટ 2025 રજૂ કરશે. વર્ષ 2024 એ ચૂંટણીનું વર્ષ છે. હાલમાં બજેટ ફેબ્રુઆરીના પ્રથમ દિવસે રજૂ થાય છે જે અગાઉ આ જ મહિનામાં છેલ્લા દિવસે રજૂ થતું હતું. વર્ષ 2017થી મોદીના શાસન દરમ્યાન બજેટ પરંપરામાં બદલાવ આવ્યો. મોદી સરકારે બજેટ સાથે જોડાયેલી આ જૂની પરંપરાને કેમ બદલી અમે તેનું કારણ જણાવીએ.
મોદી સરકારનો નિર્ણય
દર વર્ષે, નવા નાણાકીય વર્ષની શરૂઆત પહેલાં, કેન્દ્ર સરકાર આગામી નાણાકીય વર્ષ માટે ખર્ચ અને આવકની વિગતો રજૂ કરે છે. આ પછી સરકાર આ બજેટને સંસદના બંને ગૃહોમાંથી પસાર કરાવે છે. દેશમાં બજેટની રજૂઆત બ્રિટિશ શાસનકાળ દરમિયાન જ 1860માં શરૂ થઈ હતી. વર્ષ 2017 પહેલા દેશનું બજેટ ફેબ્રુઆરીના છેલ્લા મહિનામાં રજૂ કરવામાં આવતું હતું, પરંતુ તત્કાલિન નાણામંત્રી અરુણ જેટલીએ બજેટની 92 વર્ષ જૂની પરંપરામાં ફેરફાર કરીને તેને 1 ફેબ્રુઆરીએ રજૂ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારથી દર વર્ષે બજેટ 28 કે 29 ફેબ્રુઆરીને બદલે 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવે છે.

રેલ્વે બજેટની પરંપરા બદલી
નરેન્દ્ર મોદી સરકારમાં બજેટની ઘણી પરંપરાઓમાં ફેરફારો થયા છે . જેમાં રેલવે બજેટનો પણ સમાવેશ થાય છે. મોદી સરકારના પ્રથમ કાર્યકાળના પ્રથમ ત્રણ વર્ષમાં એક અલગ રેલવે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ 2017માં તેને અટકાવી દેવામાં આવ્યું હતું. હવે સામાન્ય બજેટની સાથે રેલવે બજેટ પણ રજૂ કરવામાં આવે છે.
કેમ કર્યો બદલાવ ?
બજેટની પરંપરામાં ફેરફાર કરતાં તત્કાલિન નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું હતું કે ફેબ્રુઆરીના અંતમાં બજેટ રજૂ કરવાથી સરકારને તેને અસરકારક બનાવવાનો સમય મળતો નથી. નવો નિયમ 1 એપ્રિલથી લાગુ થશે. આવી સ્થિતિમાં, સરકાર પાસે આ માટે વધુ સમય રહે તે માટે, બજેટની તારીખ 28મી ફેબ્રુઆરીથી બદલીને 1લી ફેબ્રુઆરી કરવામાં આવી હતી.
આ પણ વાંચો: કેન્દ્રીય બજેટ 2025: બજેટ પહેલા સોશિયલ મીડિયા પર અદ્ભુત મીમ્સ; પોસ્ટ વાયરલ થઈ રહી છે
આ પણ વાંચો: શું બજેટ 2025માં આવકવેરાના સ્લેબમાં ફેરફાર થશે? છેલ્લા 10 વર્ષમાં ક્યારે ફેરફારો થયા તે જાણો
આ પણ વાંચો: બજેટ 2025: શું જૂની ટેક્સ વ્યવસ્થા સંપૂર્ણપણે નાબૂદ થશે ?
