Not Set/ ચિદમ્બરમને મળવા, તિહાર પોહચેલા કોંગ્રેસનાં નેતા, વિલા મોં એ પાછા ફર્યા

શુક્રવારે કોંગ્રેસના નેતાઓનું એક પ્રતિનિધિ મંડળ પૂર્વ કેન્દ્રીય નાણાં પ્રધાન પી. ચિદમ્બરમને મળવા માટે તિહાર જેલ પહોંચ્યું હતું. પરંતુ નિર્ધારિત સમય પૂરો થતો હોવાથી તેમને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ચિદમ્બરમને મળવાની મંજૂરી મળી નહોતી. પ્રતિનિધિ મંડળમાં મુકુલ વાસ્નિક, પીસી ચાકો, મણિકમ ટાગોર, અવિનાશ પાંડે અને અન્ય નેતાઓ શામેલ હતા. રાજ્યસભાના સભ્યો કેટીએસ તુલસી અને મનોજ ઝાએ […]

Top Stories India

શુક્રવારે કોંગ્રેસના નેતાઓનું એક પ્રતિનિધિ મંડળ પૂર્વ કેન્દ્રીય નાણાં પ્રધાન પી. ચિદમ્બરમને મળવા માટે તિહાર જેલ પહોંચ્યું હતું. પરંતુ નિર્ધારિત સમય પૂરો થતો હોવાથી તેમને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ચિદમ્બરમને મળવાની મંજૂરી મળી નહોતી. પ્રતિનિધિ મંડળમાં મુકુલ વાસ્નિક, પીસી ચાકો, મણિકમ ટાગોર, અવિનાશ પાંડે અને અન્ય નેતાઓ શામેલ હતા.

રાજ્યસભાના સભ્યો કેટીએસ તુલસી અને મનોજ ઝાએ પી.ચિદમ્બરમ વિરુદ્ધ કાર્યવાહી કરતી તપાસ એજન્સીઓની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે દેશના કાયદો અને વ્યવસ્થા પર પણ સવાલ ઉઠાવ્યા છે. આઈએનએક્સ મીડિયા કેસમાં સીબીઆઈ કોર્ટે ચિદમ્બરમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવાના નિર્ણય પર, તુલસીએ તપાસ એજન્સીઓની ભૂમિકા પર સવાલ ઉઠાવતા કહ્યું કે તેઓ માત્ર વિપક્ષી નેતાઓને જ નિશાન બનાવી રહી છે.

તુલસીએ કહ્યું, ‘હું આ કેસ વિશે કોઈ ટિપ્પણી કરવા માંગતો નથી, કારણ કે હું તેના તથ્યોથી પરિચિત નથી. પરંતુ હું એટલું જ કહેવા માંગુ છું કે તપાસ એજન્સીઓ ફક્ત વિરોધી પક્ષોને જ કેવી રીતે નિશાન બનાવી રહી છે તે અંગે દેશમાં તીવ્ર ચર્ચા ચાલી રહી છે. દેશમાં કોઈ કાયદો છે કે નહીં ..?

રાષ્ટ્રીય જનતા દળના નેતા મનોજ ઝાએ કહ્યું હતું કે ‘હું માનનીય અદાલતના નિર્દેશન પર કોઈ ટિપ્પણી કરવા માંગતો નથી કારણ કે તે યોગ્ય રહેશે નહીં. પરંતુ મહત્વની હકીકત એ છે કે તપાસ એજન્સીઓનું કાર્ય દેશ અને કાયદા માટે સારું સંકેત નથી. જો તપાસ એજન્સી બળ હેઠળ કામ કરવાનું ચાલુ રાખે છે, તો તે સારા સંકેત નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.