Uttar Pradesh News: કાનપુર (Kanpur)માં શુક્રવારે રાત્રે લગભગ 2:30 વાગ્યે એક ટ્રેન અકસ્માત (Train Accident) થયો હતો. ટ્રેન નંબર 19168 સાબરમતી એક્સપ્રેસ (Sabarmati Express)ના 22 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. ભીમસેન સેક્શનમાં ગોવિંદપુરી સ્ટેશન (Govindpuri Station) પાસે આ અકસ્માત થયો હતો. ડ્રાઇવરના જણાવ્યા મુજબ, પ્રથમ દૃષ્ટિએ પથ્થર એન્જિનને અથડાયો હતો અને એન્જિનના પશુ રક્ષકને ખરાબ રીતે નુકસાન થયું હતું.
કાનપુર (Kanpur)ના ગોવિંદપુરી સ્ટેશન (Govindpuri Station) પાસે 19168 સાબરમતી એક્સપ્રેસ (Sabarmati Express)ના 22 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ટ્રેન વારાણસીથી અમદાવાદ જઈ રહી હતી. હાલમાં કોઈ મુસાફરોને ઈજા થઈ નથી. રેલવે સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો છે. નોર્થ સેન્ટ્રલ રેલ્વેએ જણાવ્યું કે આ અકસ્માત પથ્થર સાથે અથડાવાને કારણે થયો હતો. અકસ્માતને કારણે ઘણી ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. કાનપુરથી મધ્યપ્રદેશના બુંદેલખંડ જતી ટ્રેનો રદ કરવામાં આવી હતી. કેટલીક ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા હતા.
કાનપુરના ડીએમ રાકેશ કુમાર સિંહનું કહેવું છે કે લગભગ 22 કોચ પાટા પરથી ઉતરી ગયા છે. તે અને એસડીએમ સ્થળ પર હાજર છે. કોઈ જાનહાનિ થઈ નથી. કેટલાક લોકોને નાની ઇજાઓ પંહોચી છે. કોઈને ગંભીર ઈજા થઈ ન હતી. મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન અથવા રેલવે સ્ટેશન સુધી લઈ જવા માટે એમ્બ્યુલન્સ ઉભી રાખવામાં આવી છે અને બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.
અશ્વિની વૈષ્ણવની પ્રતિક્રિયા
સાબરમતી એક્સપ્રેસના ડબ્બા પાટા પરથી ઉતરી જવાની ઘટનામાં રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવની પ્રતિક્રિયા સામે આવી છે. અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કરી જણાવ્યું કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
The engine of Sabarmati Express (Varanasi to Amdavad) hit an object placed on the track and derailed near Kanpur at 02:35 am today.
Sharp hit marks are observed. Evidence is protected. IB and UP police are also working on it.
No injuries to passengers or staff. Train arranged…
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) August 17, 2024
દરમિયાન ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. સ્થળ પરથી સ્પેશિયલ ટ્રેન દ્વારા મુસાફરોને કાનપુર સેન્ટ્રલ મોકલવામાં આવી રહ્યા છે. અહીંથી તેમને તેમના ગંતવ્ય સ્થાન તરફ મોકલવામાં આવશે. રેલવે પ્રશાસન દ્વારા હેલ્પલાઈન નંબર જારી કરવામાં આવ્યા છે:
- પ્રયાગરાજ 0532-2408128, 0532-2407353
- કાનપુર 0512-2323018, 0512-2323015
- મિર્ઝાપુર 054422200097
- ઈટાવા 7525001249
- ટુંડલા 7392959702
- અમદાવાદ 07922113977
- બનારસ શહેર 8303994411
- ગોરખપુર 0551-2208088
અમદાવાદથી ઉદયપુર જતી સાબરમતી એક્સપ્રેસનો અકસ્માત થયો. દેશમાં વધુ એક ટ્રેન અકસ્માત થતા કોંગ્રેસ પક્ષે રેલ્વે મંત્રીને રિલ મંત્રી કહી નિશાન સાધ્યું.
यूपी के कानपुर में साबरमती ट्रेन पटरी से उतर गई.
मोदी सरकार के 70 दिनों में 21 रेल हादसे हो गए, लेकिन सरकार को कोई फर्क नहीं पड़ता है.
रील मंत्री के लिए तो ये ‘छोटी घटना’ है. pic.twitter.com/mjaN16fnjO
— Congress (@INCIndia) August 17, 2024
આ પણ વાંચો:પ્રેમિકાની હત્યા કર્યા બાદ લાશને ખીણમાં ફેંકી દીધી, પછી નદીમાં કૂદીને આત્મહત્યા કરી
આ પણ વાંચો: મહિલા રેસિડેન્ટ ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યા કેસમાં CBIએ શરૂ કરી તપાસ, પૂછપરછ માટે આરોપીની લઈ ગઈ ઓફિસ
આ પણ વાંચો:કોલકાતા મહિલા ડોક્ટર કેસમાં આવતીકાલથી ત્રણ દિવસની હડતાળ