Bihar News/ બિહારમાં સાસારામમાં બે યુવકોની હત્યા થતા મચી ચકચાર

બિહારના સાસારામમાંથી બે યુવકોની હત્યાનો મામલો સામે આવ્યો છે. ગુરુવારે સવારે બે યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા. બંને યુવાનોની ગોળી મારીને હત્યા…..

India

Bihar News: બિહારના સાસારામમાંથી બે યુવકોની હત્યાનો મામલો સામે આવ્યો છે. ગુરુવારે સવારે બે યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા. બંને યુવાનોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે. સ્થળ પરથી એક કિઓસ્ક અને એક બાઇક પણ મળી આવી છે. પોલીસને વિક્રમગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નહેરના કિનારેથી યુવકના મૃતદેહ મળી આવ્યા છે. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ નથી.

નહેરના પુલ નજીકથી લાશ મળી

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ગામલોકોની સૂચના પર પોલીસે ધારુપુરના કરિયાવા નહેરના પુલ પાસે બે યુવકોના મૃતદેહ બહાર કાઢ્યા. બંને યુવકોની ઉંમર 25થી 30 વર્ષની વચ્ચે હોવાનું કહેવાય છે. વિક્રમગંજના સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર કુમાર સંજયે જણાવ્યું કે બંનેની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મૃતદેહ પાસેથી શેલ કેસીંગ્સ પણ મળી આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો આવી પહોંચ્યા હતા.

મૃતકોની ઓળખ થઈ નથી

જો કે હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. પોલીસના જણાવ્યા અનુસાર શરીર પર તીક્ષ્ણ હથિયારથી કાપવાના નિશાન છે. પોલીસે ઘટનાસ્થળેથી થોડે દૂર એક બાઇક પણ કબજે કરી છે. કુમાર સંજયે જણાવ્યું કે પોલીસે મૃતદેહને કબજે કરીને તપાસ શરૂ કરી છે. એફએસએલની ટીમને પણ બોલાવવામાં આવી છે. મૃતકની ઓળખ માટે નજીકના પોલીસ સ્ટેશનોને પણ ઘટના અંગે જાણ કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગઢચિરોલીમાં છત્તીસગઢ સરહદ પરના જંગલમાં પોલીસે 12 માઓવાદીઓને કર્યા ઠાર, 1 જવાન ઘાયલ

આ પણ વાંચો:યુપી ભાજપમાં થઈ શકે છે મોટો બદલાવ, આ નેતાએ PM મોદી સાથે કરી મુલાકાત

આ પણ વાંચો:લગ્નમાં મટનનો લઈ હોબાળો, દુલ્હને ગુસ્સે થઈ તોડી નાખ્યા લગ્ન