Vadodara News: ગત શનિવારે રાજકોટના TRP ગેમઝોનમાં બનેલ ગોઝારી ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે. આ દુર્ઘટનામાં 27 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે. હવે આ દુર્ઘટના સર્જાયા બાદ વડોદરા મહાનગરપાલિકા પાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકા કમિશનર ટીમ પહોંચી અટલાદરા સ્વામિનારાયણ મંદિર પહોંચી ગઈ અને ત્યાં સ્ટેશન ઓફિસર ફાયર સંસાધનની તપાસ કરી રહ્યા છે.
ફાયર ઓફિસર અમિત ચૌધરી દ્વારા અટલાદરા સ્વામિનારાયણ મંદિરમાં ફાયર એનઓસી તેમજ સંસાધનો કાર્યરત કે છે કે કેમ તેની તપાસ કરવામાં અવી રહી છે. તમને જણાવી દઈએ કે,અટલાદરા સ્વામિનારાયણ મંદિરમાં મોટી સંખ્યામાં સ્વામિનારાયણ ભક્તો આવે છે.
મહત્વનું છે કે,રાજકોટ અગ્નિકાંડ બાદ ગુજરાતમાં પ્રથમ ધાર્મિક સ્થાનની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: રાજકોટ મનપાની મંજૂરી વગર PGVCLએ વીજ જોડાણ આપ્યું કઈ રીતે?
આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડને લઈને મોટા સમાચાર, ચાર અધિકારીની ધરપકડ
આ પણ વાંચો: પાલનપુરમાં 4 બાળકોને વીજ કરંટ લાગ્યો, એક ફૂલ મુરઝાયું