ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ આજે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ) માં કોરોના રસીનો બીજો ડોઝ લીધો. તે જ સમયે, દેશમાં વધી રહેલા કોરોના વાયરસના કેસોએ સરકારની ચિંતા વધારી દીધી છે. કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને પીએમ નરેન્દ્ર મોદીએ આજે વરિષ્ઠ અધિકારીઓની ઉચ્ચ-સ્તરની બેઠક બોલાવી છે. આ બેઠકમાં, કોરોના વાયરસ અને દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનથી સંબંધિત મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવશે. આ બેઠકમાં પીએમ મોદી ઉપરાંત કેબિનેટ સચિવ, વડા પ્રધાનના અગ્ર સચિવ, આરોગ્ય સચિવ અને ડો. વિનોદ પોલ ઉપસ્થિત રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં ફરી એકવાર, કોરોનાએ તેનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું છે. દેશના વિવિધ રાજ્યોમાંથી કોરોના કેસ આવી રહ્યા છે. ઘણાં રાજ્યોમાં ફરીથી લોકડાઉનની સ્થિતિ આવી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 93,249 કેસ નોંધાયા છે, જ્યારે આ સમયગાળા દરમિયાન 513 લોકોનાં મોત નીપજ્યાં છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં 60,048 લોકો આ ચેપમાંથી સ્વસ્થ્ય થયા છે.
