Madhyapradesh News : મધ્યપ્રદેશમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ગરમીમાં તો રાહત તો છે જ પરંતુ લોકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દરમિયાન શુક્રવારે મોડી સાંજે ઉજ્જૈનમાં એક મોટો અકસ્માત થયો હતો. અહીં મહાકાલ મંદિરના ગેટ નંબર ચાર પાસે બનેલી દિવાલ માટી ધસી પડતાં ધરાશાયી થઈ ગઈ હતી.મળતી માહિતી મુજબ કાટમાળ નીચે કેટલાક લોકો દટાયા હોવાની આશંકા છે.
માહિતી મળતાની સાથે જ પોલીસ-પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. દિવાલ ધરાશાયી થવાના કારણે કેટલાક લોકો ઘાયલ પણ થયા છે, જેમને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ આ સંકેતો જણાવશે કે તમે સ્વસ્થ છો કે નહીં ? જાણો તમે કેટલા Healthy છો
આ પણ વાંચોઃ શું તમે ઓફિસમાં રહેવા માંગો છો Healthy અને Happy? કરી શકો છો આ કામ
આ પણ વાંચોઃ કોરોના કાળમાં ખૂબજ ઉપયોગી આ Health Gadgets, કિંમત પણ વાજબી હોય ઘરે વસાવવા જરૂરી
