ગાંધીધામ,
ગાંધીધામમાં રામબાગ રોડ પર નર્મદાનો એર વાલ્વ લિકેજ થતા વરસાદ જેવી સ્થિતી નિર્માણ પામી હતી. નર્મદાના વાલ્વમાં લિકેજ થતા હજારો લિટર પાણી રસ્તા પર વેડફાયું હતું.
તંત્રની બેદરકારીના કારણે કલાકો સુધી પાણી વેડફાતુ રહ્યું હતું. તેને કારણે વિસ્તારમાં પાણી ભરાયા હતા. તો બીજુ બાજુ કેટલાક સ્થાનિકોએ પ્રેસરથી નિકળેલા પાણીમાં પોતાની ગાડીઓ પણ ધોઈ નાખી હતી.
