પરમાણુ હથિયારની ધમકી/ અમારા અસ્તિત્વ પર ખતરો હશે તો પરમાણુ હથિયારનો ઉપયોગ કરીશું : રશિયા

હવે રશિયાએ ચેતવણી આપી છે કે જો તેના અસ્તિત્વને ખતરો હશે તો તે પરમાણુ હથિયારોના ઉપયોગથી પાછળ નહીં હટે

Top Stories World

યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે રશિયાએ મોટી ધમકી આપી છે. એવું કહેવામાં આવ્યું છે કે જો રશિયાને ‘અસ્તિત્વના ખતરા’નો સામનો કરવો પડશે તો તે પરમાણુ હથિયારોનો ઉપયોગ કરશે. આ વાત ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવ દ્વારા કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે રુસો-યુક્રેન યુદ્ધને 27 દિવસ વીતી ગયા છે, પરંતુ હજુ સુધી સ્થિતિ સ્પષ્ટ નથી. રશિયા યુક્રેનના અલગ-અલગ શહેરો પર હવાઈ હુમલા કરી રહ્યું છે, પરંતુ યુક્રેન તેની સામે ઝૂકવા તૈયાર નથી.

યુદ્ધની વચ્ચે, રશિયાએ ચેર્નોબિલમાં એક નવી લેબનો નાશ કર્યો છે. આ નવી લેબ ચેર્નોબિલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટની હતી. આ પ્રયોગશાળા કિરણોત્સર્ગી કચરાના સંચાલનની દેખરેખ રાખવા માટે બનાવવામાં આવી હતી. આ લેબ 2015માં યુરોપિયન કમિશનની મદદથી બનાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે યુદ્ધની શરૂઆત સાથે જ રશિયાએ આ લેબ પર કબજો કરી લીધો હતો.

યુક્રેન યુદ્ધમાં રશિયાને સખત ટક્કર આપી રહ્યું છે. તેનો દાવો છે કે અત્યાર સુધી તે યુદ્ધમાં 15 હજારથી વધુ રશિયન સૈનિકોને મારી ચૂક્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 26 દિવસમાં રશિયાને જે નુકસાન થયું છે તે અફઘાનિસ્તાનમાં 10 વર્ષથી લડતા સોવિયત સંઘને થયેલા નુકસાન કરતાં વધુ છે.

ઉલ્લેખનીય છે કે રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 28 દિવસથી ચાલી રહેલું યુદ્ધ ખતરનાક તબક્કામાં પ્રવેશી રહ્યું છે. તેને રોકવાના અત્યાર સુધીના પ્રયાસો અપૂરતા સાબિત થયા છે. ન તો યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકી રશિયાને શરણે જવા તૈયાર છે અને ન તો રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુદ્ધ રોકવા તૈયાર છે. હવે રશિયાએ ચેતવણી આપી છે કે જો તેના અસ્તિત્વને ખતરો હશે તો તે પરમાણુ હથિયારોના ઉપયોગથી પાછળ નહીં હટે