જમ્મુ -કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપીના વડા મહેબૂબા મુફ્તીએ તાલિબાનનું ઉદાહરણ આપીને મોદી સરકારને ચેતવણી આપી છે. ધીરજનો બંધ તૂટશે તો હટાવી દઇશું અને મટાવી દેવાની ધમકી આપતા મહેબૂબા મુફ્તીએ કહ્યું કે મોદી સરકારે અટલ બિહારી વાજપેયી જેવા પાકિસ્તાન અને કાશ્મીરીઓ સાથે વાત કરવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે જો આઝાદી સમયે ભાજપ ત્યાં હોત તો આજે કાશ્મીર ભારતમાં ન હોત.
શનિવારે એક કાર્યક્રમમાં મહેબૂબા મુફ્તીએ તાલિબાનની સરખામણી કરતા કહ્યું કે, “જ્યારે સહિષ્ણુતાનો આ બંધ તૂટી જશે, ત્યારે તમે ત્યાં નહીં રહો તમે મટી જશો .પાડોશી દેશ અફઘાનિસ્તાન શું થઈ રહ્યું છે તે જુઓ. તેમણે પણ ત્યાંથી બોરિયા બિસ્તર સાથે પરત જવું પડ્યું. તમારા માટે હજી પણ એક તક છે, જેમ વાજપેયીજીએ કાશ્મીરમાં અને પાકિસ્તાન સાથે વાતચીત શરૂ કરી હતી, તેવી જ રીતે તમારે વાતચીતની પ્રક્રિયા શરૂ કરવી જોઈએ.
કલમ 370 હટાવવા અને જમ્મુ -કાશ્મીરમાંથી રાજ્યનો દરજ્જો દૂર કરીને લદ્દાખને અલગ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય અંગે મહેબૂબાએ કહ્યું કે, તમે ગેરકાયદેસર રીતે જે છીનવી લીધું છે તે ગેરબંધારણીય છે જે જમ્મુ -કાશ્મીરનું નુકસાન છે. ટુકડા કરી નાંખ્યા છે તેને પરત કરી લો નહીંતર ઘણું મોડું થઈ જશે.
જેપીના પ્રદેશ અધ્યક્ષ રવિન્દ્ર રૈનાએ એક ટીવી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં મહેબૂબા મુફ્તીને દેશદ્રોહી ગણાવ્યા અને કહ્યું કે તે જમ્મુ -કાશ્મીરમાં તાલિબાનનું શાસન ઈચ્છે છે. રૈનાએ કહ્યું, “મહેબૂબા મુફ્તી એક મોટી ગેરસમજ છે, ભારત એક શક્તિશાળી દેશ છે અને આપણા દેશના પીએમ મોદી છે, પછી તે તાલિબની હોય, અલ કાયદા હોય, જૈશ હોય, હિઝબુલ હોય, જે પણ ભારતની એકતા અને અખંડિતતા વિરુદ્ધ કાવતરું કરશે તેને છોડવામાં આવશે નહી, અમારા પીએમ મોદી જી છે, બિડેન નથી.
તાલિબાનોનો આતંક / તાલિબાનો 150થી વધુ ભારતીયોને અજાણ્યા સ્થળ પર લઇ ગયા પછી શું થયું…