રાજકિય સંક્ટ/ નીતિશ કુમાર ભાજપમાં જવા કેમ તૈયાર થયા! જાણો

બિહારમાં એક-બે દિવસમાં NDAની સરકાર બની શકે છે. નીતિશ કુમાર મુખ્યપ્રધાન રહેશે, જ્યારે બે નાયબ મુખ્યપ્રધાન ભાજપના ક્વોટામાંથી બનાવવામાં આવશે

Top Stories India

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ફરી એકવાર ભાજપમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બિહારમાં એક-બે દિવસમાં NDAની સરકાર બની શકે છે. નીતિશ કુમાર મુખ્યપ્રધાન રહેશે, જ્યારે બે નાયબ મુખ્યપ્રધાન ભાજપના ક્વોટામાંથી બનાવવામાં આવશે. હાલમાં રાજ્યમાં JDU, RJD, કોંગ્રેસ અને ડાબેરી પક્ષોનું મહાગઠબંધન છે, જેનું નેતૃત્વ નીતિશ કરી રહ્યા છે. ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ છે.

જેડીયુની એનડીએમાં વાપસીને ઈન્ડિયા એલાયન્સ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. જો નીતિશ ફરીથી ભાજપ સાથે જાય છે તો રાષ્ટ્રીય સ્તરે વિપક્ષી ગઠબંધનને બિહારમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જો કે, થોડા દિવસો પહેલા સુધી વિપક્ષ સાથે જોવા મળતા નીતીશ સાથે અચાનક શું થયું, જેના કારણે તેમના બદલાતા પક્ષોને લઈને અટકળો લગાવવામાં આવી રહી છે.

 નીતિશ કુમારની નજીકના એક નેતાને ટાંકીને કહ્યું છે કે 13 જાન્યુઆરીએ યોજાયેલી ઈન્ડિયા એલાયન્સની બેઠક નીતિશ કુમાર માટે ટર્નિંગ પોઈન્ટ હતી. આ પછી જ તેમણે વિપક્ષી ગઠબંધનથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, તે બેઠકમાં સીપીએમ નેતા સીતારામ યેચુરીએ સંયોજક પદ માટે નીતિશ કુમારના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેના પર ત્યાં હાજર લાલુ યાદવ અને શરદ પવાર સહિત અન્ય નેતાઓએ સમર્થન આપ્યું હતું. જો કે, આ દરમિયાન, રાહુલ ગાંધીએ દરમિયાનગીરી કરી અને કહ્યું કે આ નિર્ણય માટે થોડો સમય રાહ જોવી પડશે, કારણ કે TMC ચીફ અને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીને વાંધો છે.