Ahmedabad News/ અમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરી દુર્ઘટના મામલે કેટલીક ટ્રેનો કરાઈ ડાયવર્ટ

હાલમાં નેશનલ હાઇ સ્પીડ કોર્પોરેશન લિમિટેડ (બુલેટ પ્રોજેક્ટ) એ વધુ ત્રણ ક્રેન મોકલીને પુનઃસ્થાપન કાર્ય શરૂ કર્યું છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Image 2025 03 24T100705.056 અમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરી દુર્ઘટના મામલે કેટલીક ટ્રેનો કરાઈ ડાયવર્ટ

Ahmedabad News: ગઈકાલ રાત્રે બુલેટ ટ્રેન (Bullet Train)ની કામગીરી દરમિયાન અમદાવાદ (Ahmedabad)ના વટવા (Vatva) હાથીજણ વિસ્તારમાં રોપર બ્રિજ (Ropar bridge ) પાસે અચાનક એક મોટી ક્રેન (Crane) તૂટી જતાં આ ઘટનામાં 2 લોકો ઘાયલ થયા હતા. ત્યારે પશ્ચિમ રેલ્વે (Western Railway)એ કેટલીક ટ્રેન ડાયવર્ટ (Divert) કરાઈ છે.

Image 2025 03 24T101437.193 અમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરી દુર્ઘટના મામલે કેટલીક ટ્રેનો કરાઈ ડાયવર્ટ

અમદાવાદમાં બુલેટ ટ્રેનના થાંભલા પર મૂકેલી ક્રેન કોઈ કારણોસર અચાનક પડી જતાં અકસ્માત (Accident) સર્જાયો હતો. આ બાબતની તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ બાબતની જાણ નેશનલ હાઈ સ્પીડ રેલ્વે ઓથોરિટી (National High speed Railway Authority)ના અધિકારીઓને પણ કરવામાં આવી હતી અને તેઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ અકસ્માતમાં ટ્રેનનો ઓવરહેડ વાયર તૂટી ગયો હતો, જેના કારણે મુંબઈ અને અમદાવાદ વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાઈ ગયો હતો.

Image 2025 03 24T101648.039 અમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરી દુર્ઘટના મામલે કેટલીક ટ્રેનો કરાઈ ડાયવર્ટ

હાલમાં નેશનલ હાઇ સ્પીડ કોર્પોરેશન લિમિટેડ (બુલેટ પ્રોજેક્ટ) એ વધુ ત્રણ ક્રેન મોકલીને પુનઃસ્થાપન કાર્ય શરૂ કર્યું છે. રેલ્વે વિભાગ પણ ઓવરહેડ લાઇન (Overhead line)નું સમારકામ અને ટૂંક સમયમાં રેલ ટ્રાફિક પુનઃસ્થાપિત કરવામાં વ્યસ્ત છે. વડોદરાથી અમદાવાદ જતી સયાજીનગરી અને એકતાનગર-અમદાવાદ સહિત 10 ટ્રેનોને રાત્રે વિવિધ સ્ટેશનો પર રોકવામાં આવી હતી. હાલમાં અપલાઇન ચાલુ રાખવામાં આવી છે અને ડાઉનલાઇન બંધ કરવામાં આવી છે, જેના કારણે મુંબઈ (Mumbai) તરફ જતી ટ્રેનો રદ કરવામાં આવી છે.

Image 2025 03 24T101930.207 અમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરી દુર્ઘટના મામલે કેટલીક ટ્રેનો કરાઈ ડાયવર્ટ

અમદાવાદ-વડોદરા-મુંબઈ વચ્ચે દોડતી 25 ટ્રેનો રદ કરવામાં આવી છે. તો, 5 ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જ્યારે 6 ટ્રેનો અન્ય રૂટ પર દોડાવવામાં આવી રહી છે. વડોદરા સ્ટેશન પર મુસાફરો માટે તાત્કાલિક ધોરણે હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યો. અમદાવાદ અને મુંબઈ વચ્ચેના રેલ ટ્રાફિક પર અસરને કારણે, રેલ્વે વિભાગે અમદાવાદ, સાબરમતી, વિરમગામ મહેસાણા, ગાંધીધામ અને પાલનપુર રેલ્વે સ્ટેશનોના રેલ્વે હેલ્પલાઇન નંબરો જાહેર કર્યા છે જેના પરથી લોકો ટ્રેનોની અવરજવર વિશે માહિતી મેળવી શકશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ક્યાં સુધી પહોંચ્યું છે અમદાવાદમાં બુલેટ ટ્રેન સ્ટેશનનું કામ: જુઓ Video

આ પણ વાંચો: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનું કામ આશમાને, જાણો 10 તસવીરોમાં સંપૂર્ણ અપડેટ

આ પણ વાંચો: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના કામ સંદર્ભે રેલવે મંત્રીએ આપી મોટી અપડેટ