Not Set/ નેપાળમાં 5.2 તીવ્રતાનો ભૂકંપનો ઝટકો,UP માં પણ અનુભવાયો

નેપાળ, નેપાળ સહિત ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં બુધવારે ભૂકંપના બે ઝટકાઓ અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિકટર સ્કેલ પર 5.2 હતી અને તેનું કેન્દ્ર નેપાલનું ધાદિંગ જીલ્લાનું નૌબત હતું. જો કે, ભૂકંપના લીધે કોઈ પણ પ્રકારના નુકસાનની કોઈ માહિતી મળી નથી Earthquake of local magnitude 5.2 in Naubise Dhanding @06:29.-NEMC — NEOC, MoHA Nepal (@NEOCOfficial) April […]

Top Stories World

નેપાળ,

નેપાળ સહિત ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં બુધવારે ભૂકંપના બે ઝટકાઓ અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિકટર સ્કેલ પર 5.2 હતી અને તેનું કેન્દ્ર નેપાલનું ધાદિંગ જીલ્લાનું નૌબત હતું. જો કે, ભૂકંપના લીધે કોઈ પણ પ્રકારના નુકસાનની કોઈ માહિતી મળી નથી

મીડિયા અહેવાલો અનુસાર, બુધવારે સવારે 6:29 વાગ્યે નેપાળ અને આસપાસના ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ધરતીકંપની ધ્રુજારી અનુભવાઈ હતી. તેની તીવ્રતા 5.2 હતી. આ પછી, 6:40 મિનિટ બીજા ઝટલો અનુભવાયો. આ ધરતીકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.8 હતી. જો કે, ભૂકંપથી કોઈ પણ પ્રકારના નુકસાનના અહેવાલ સામે આવ્યા નથી.

આ પહેલા, અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકો 1:45 વાગ્યે પણ અનુભવાયા હતા. તેની તીવ્રતા રીક્ટર સ્કેલ પર 5.8 હતી અને ભૂકંપનું કેન્દ્ર અરુણાચલના વેસ્ટ સિયાંગ હતું. અહીંયા પણ કોઈ નુકશાન થયું નથી.

અગાઉ 25 મી એપ્રિલ 2015 ના રોજ 7.8 ની તીવ્રતાનો ભૂકંપ નેપાળ પર આવ્યો હતો અને તેનું કેન્દ્ર લામજુંગ હતું. આ ભૂકંપને કારણે, નેપાળના 32 જિલ્લાઓ સંપૂર્ણપણે વિનાશ પામ્યાં હતાં અને 9, 000 થી વધુ લોકો માર્યા ગયા હતા. વધુમાં, 20 હજારથી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ભૂકંપ આંચકાઓ ચીન, ભારત, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં પણ અનુભવાય હતા. આ વર્ષની શરૂઆતમાં 1934 માં ધરતીકંપ થયો હતો, જેમાં આશરે 8,000 લોકો માર્યા ગયા હતા.