બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી શર્લિન ચોપરાએ ડ્રગ્સના મામલે મોટો ખુલાસો કર્યો છે. એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં શર્લિન ચોપરાએ કહ્યું કે, મોટા ક્રિકેટરો અને સુપરસ્ટારની પત્નીઓ ડ્રગ્સ લે છે. આ ઇન્ટરવ્યુ દ્વારા શર્લિન ચોપરાએ બોલિવૂડની સાથે-સાથે ક્રિકેટ ઇન્ડસ્ટ્રી પર પણ સવાલ ઉઠાવ્યા છે. શર્લિનને કહ્યું કે એનસીબી ખૂબ સારી કામગીરી કરી રહી છે.
શર્લિન ચોપરાએ કહ્યું કે, અમે સ્ટાર્સને દેવી-દેવતા માનતા હતા પરંતુ આજે દેવી-દેવતાઓની વાસ્તવિકતા સામે આવી છે. હવે આ લોકો એનસીબીને કહેશે કે આ લોકો માલ ક્યારે અને કેટલો લેતા હતા.
શર્લિન ચોપડાએ એક મોટો ખુલાસો કર્યો કે, જ્યારે હું કે.કે.આર.ની મેચ જોવા કોલકાતા ગઈ હતી, ત્યારબાદ ત્યાંની મેચ પછીની પાર્ટીમાં મેં જોયું કે ક્રિકેટરો, બોલિવૂડ સેલેબ્સ બધા હસતા હતા. મેં ત્યાં આવા દ્રશ્યો જોયા જે મને આઘાત લાગ્યો. શર્લિને કહ્યું કે અમારા ક્રિકેટ સુપરસ્ટાર્સની પત્નીઓ ત્યાં સફેદ પાવડર એટલે કે કોકેન લઈ રહી હતી. મને લાગે છે કે આ લોકો શું કરે છે અને શા માટે છે. હું ટૂંક સમયમાં ત્યાંથી નીકળી ગઈ.
આપને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂત મામલે જે ડ્રગ કનેક્શન બહાર આવ્યું છે તેમાં નવા ખુલાસા થઈ રહ્યા છે. નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) એ અભિનેત્રીઓ દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન અને રકુલ પ્રીત સિંહ સહિત 7 લોકોને પૂછપરછ માટે સમન્સ મોકલ્યું પાડ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.