![અમદાવાદ/ ભાઈપુરાના હરિપુરા વોર્ડમાં 21 શાકભાજીના ફેરિયાઓનો કોરોના પોઝિટીવ, તંત્રમાં મચ્યો ખળભળાટ 3 8b7286b4b49d48602c4312682e22285f અમદાવાદ/ ભાઈપુરાના હરિપુરા વોર્ડમાં 21 શાકભાજીના ફેરિયાઓનો કોરોના પોઝિટીવ, તંત્રમાં મચ્યો ખળભળાટ](https://api.mantavyanews.in/wp-content/uploads/2020/05/8b7286b4b49d48602c4312682e22285f.png)
અમદાવાદમાં દિન પ્રતિદિન કોરોના પોઝિટિવ સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે શહેરના હાટકેશ્વર ભાઈપુરાના હરિપુરા વોર્ડમાં એક સાથે 21થી વધારે શાકભાજીના ફેરિયાઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં ખળભળાટ મચ્યો છે. ફેરિયાઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રનાં ઉચ્ચ અધિકારીઓ પોલિસ કાફલા સાથે હરિપુરા ખાતે તમામને ક્વોરન્ટાઈન કરીને બસો મારફતે તેમના પરિવારોને લઈ જવા તજવિત હાથ ધરી હતી.જે બાદ સેનેટાઈઝ કરીને બેરિકેડ મુકી આખા વિસ્તારનો બ્લોક કરવામાં આવ્યો હતો.
રાજ્યમાં કોરોનાનું હોટસ્પોટ અમદાવાદ શહેર બન્યું છે.રાજ્યમાં સૌથી કોરોના પોઝિટિવ કેસ અમદાવાદમાં છે. રાજ્યમાં આજે વધુ 376 કેસ નોંધાયા છે. જે અત્યાર સુધીના સૌથી વધારે છે તો મોત પણ અત્યાર સુધીના 29 થયા છે. આપને જણાવી દઈએ કે રાજ્યમાં 6000 કેસ પર પહોંચવા આવ્યું છે તો અમદાવાદમાં પોઝિટિવ આંકડો 4000ને પાર કરી ગયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.